Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયાર વેચવાના રેકેટનો કર્યો પર્દાફાશ, સાળા-બનેવીની ધરપકડ

ઉત્તરપ્રદેશથી ગુજરાતમાં હથિયાર વેચવાના રેકેટનો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.9 હથિયાર સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાળો-બનેવીએ હથિયાર વેચવાનુ રેકેટ ચલાવીને કમાણી કરવાની શરૂઆત કરી હતી.

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયાર વેચવાના રેકેટનો કર્યો પર્દાફાશ, સાળા-બનેવીની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યુ રેકેટ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 15, 2023 | 5:41 PM

ઉત્તરપ્રદેશથી ગુજરાતમાં હથિયાર વેચવાના રેકેટનો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.9 હથિયાર સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાળો-બનેવીએ હથિયાર વેચવાનુ રેકેટ ચલાવીને કમાણી કરવાની શરૂઆત કરી હતી. જો કે આ ગેરકાયદેસર હથિયારોનું વેચાણ થાય તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે.  ક્રાઈમ બ્રાન્ચે રેકટમાં સંડોવાયેલા 3 લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે.

અમદાવાદ શહેરમામાં હવે ખુલ્લેઆમ હથિયારોનુ વેચાણ થઈ રહ્યુ હોય એવી સ્થિતિ છે. જોકે છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ પોલીસ દ્વારા બે ટોળકીને ઝડપીને જેલને હવાલે કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે 11 ઓગસ્ટે આરીફ પઠાણની ઍક પિસ્તોલ અને 6 કારતૂસ સાથે ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં રફીક અહેમદ શેખનું નામ ખૂલ્યું હતું. જેણે આરીફને આ હથિયાર વેચવા માટે આપ્યું હતું.

એક વર્ષથી હથિયાર વેચવા ફરતા હતા

જો કે આરીફની ધરપકડ બાદ સામે આવ્યું કે જુહાપુરાનો અસલમખાન ઉર્ફે નવાબખાન પઠાણએ હથિયાર વેચવા આરીફ ને આપ્યું હતું.જે આરિફએ રફિકને હથિયાર વેચવા આપતા સમગ્ર રેકેટનો પર્દફાશ થયો.ક્રાઇમ બ્રાંચ ત્રણેય આરોપી પાસેથી 9 હથિયાર,19 જીવતા કારતૂસ અને 2 મેગજીન કબજે લઇ તપાસ શરૂ કરી. ક્રાઇમબ્રાંચની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર પ્રદેશનો દિલદાર નામનો આરોપી 9 જેટલા હથિયાર તેના બનેવી આરોપી અસલમ ખાન ઉર્ફે નવાબ ખાન પઠાણએ વેચવા માટે આપ્યા હતા. તેણે આ 9 હથિયાર એક વર્ષ પહેલાં વેચવા આપ્યા હતા, પરંતુ એકપણ હથિયાર અત્યાર સુધીમાં વેચાતા ના હોવાથી આરોપી અસલમ ખાને હથિયાર બજારમાં વેચવા માટે નીકાળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

40 હજારમાં એક હથિયાર

તેવામાં ક્રાઇમ બ્રાંચ ની ટીમને માહિતી મળતાં એક હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. જેની તપાસમાં હથિયાર વેચવાનું રેકેટ ખૂલ્યું હતુ. જોકે વોન્ટેડ આરોપી દિલદારે તેના બનેવી અસલમખાન પઠાણને 40 હજારના ભાવે એક હથિયાર વેચવા આપ્યા હતા. પકડાયેલ આરોપી અસલમખાન પઠાણએ આરોપી રફીક ઉર્ફે તિલ્લી અહેમદ 3 હથિયાર વેચવા માટે આપ્યા જેમાંથી એક હથિયાર આરોપી રફીક એ આરોપી આરિફને આપ્યું હતું. જે તામમ હથિયાર કબજે કરવામાં આવ્યા છે. ત્યારે આરોપી અસલમ ખાને અન્ય કોઈને હથિયાર વેચવા આપ્યું છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આરોપીઓનો ઇતિહાસ ગુનાહિત

આર્મ્સ એક્ટ ગુનામાં પકડાયેલ 3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી રફીક અહેમદ વિરુદ્ધ હત્યા,લૂંટ જેવા ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. આરોપી અસલમ ખાન પઠાણ વિરુદ્ધ મારમારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે .ક્રાઇમ બ્રાંચ વોન્ટેડ આરોપી દિલદાર ને ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. આરોપીએ અત્યાર સુધી અન્ય કોઈને હથિયાર વેચ્યા છે કે કેમ અને હથિયાર બજારમાં ફરતા કરવા પાછલનો કોઈ બદઈરાદો નથી જેને લઈને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: સ્ટેટ વિજીલન્સે SRP સાથે વડાલીમાં દરોડો પાડ્યો, સંચાલક, રાઈટર, હિશાબનીશ સહિત પેઢીની જેમ ચલાવાતુ જુગારધામ!

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">