AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફની હડતાલની ચીમકી, જાણો શું છે કારણ

કરાર આધારિત 50 ટકા સ્ટાફને પગાર ચૂકવી દેવાયો છે, પરંતુ બીજા 350ના સ્ટાફને બે મહિનાનો પગાર હજુ સુધી ન મળતા તેઓ રોષે ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 11:30 AM

AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ નર્સિંગ સહીત 350થી વધુના સ્ટાફે હડતાલની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પરનો નર્સિંગ સહિતના સ્ટાફને બે માસનો પગાર નથી મળ્યો, જેને લઈ હવે તેમણે હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.નર્સિંગ સ્ટાફ, ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ અને બાયો મેડિકલ એન્જિનિયર સહિત 350નો સ્ટાફ જૂન અને જુલાઈ માસના પગારથી વંચિત છે.

પગાર ન થતા કર્મચારીઓને ઘર ચલાવવામાં તકલીફ પડવાની સાથે બેન્ક લોન, વાહનના હપ્તા અને ઘરનું મેઇન્ટેનન્સ ચઢી ગયું હોવાથી વ્યાજ ભરવું પડે છે.સતત બે મહિનાનો પગાર ન આવતાં હવે કેટલાંક કર્મચારીઓએ વ્યાજે નાણાં લેવા પડ્યા છે.

રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક પગલાં નહીં લેવાય તો કર્મચારીઓને ના છૂટકે હડતાળ પર જવાની ફરજ પડશે.કરાર આધારિત 50 ટકા સ્ટાફને પગાર ચૂકવી દેવાયો છે, પરંતુ બીજા 350ના સ્ટાફને બે મહિનાનો પગાર હજુ સુધી ન મળતા તેઓ રોષે ભરાયા છે અને આગામી સમયમાં જો પગાર નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : SURAT : ગજેરા સ્કૂલની બેદરકારી, મંજુરી ન હોવા છતાં ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાયા

આ પણ વાંચો : AHMEDABAD : DPS EAST સ્કુલ વિરુદ્ધ મોટી કાર્યવાહી, DPEOએ ફટકાર્યો 1 લાખનો દંડ

Follow Us:
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">