AHMEDABAD :જાસપુરમાં આજથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર ‘વિશ્વ ઉમિયાધામ’ના નિર્માણ કાર્યનો પ્રારંભ

Vishv Umiyadham : આજે શ્રી શતચંડી મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દિપોત્સવ અને ભવ્ય શોભાયાત્રા યોજાશે. સાંજે 5 કલાકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સંતો-મહંતો અને દાત્તાઓની ઉપસ્થિતિમાં કાર્યારંભ સમારોહ યોજાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 8:34 AM

AHMEDABAD : અમદાવાદના જાસપુરમાં આજથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર ‘વિશ્વ ઉમિયાધામ’ના નિર્માણ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.22 નવેમ્બરે શ્રી શતચંડી મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દિપોત્સવ અને ભવ્ય શોભાયાત્રા યોજાશે. સાંજે 5 કલાકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સંતો-મહંતો અને દાત્તાઓની ઉપસ્થિતિમાં કાર્યારંભ સમારોહ યોજાશે.વિશ્વની અજાયબી સ્વરૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે.

આ પ્રસંગે પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે.. શ્રી શતચંડી મહાયજ્ઞની સાથે-સાથે મા ઉમિયાના ભક્તો, શ્રીયંત્ર મહાપૂજનનું આયોજન કરાયું છે.10 કિલો વજનનું ગોલ્ડ પ્લેટેડ શ્રી યંત્ર પંચધાતુથી બનેલું છે..આ પંચધાતુ યંત્ર સંપુર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સિધ્ધ કરવામાં આવ્યું છે..આ શ્રીયંત્રની આજે વિશેષ પૂજા કરવામાં આવશે.

વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં 31 હજાર દીવડા પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દિપોત્સવની ઉજવણી કરાશે. 300થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનો 31 હજાર દિવાડી પ્રગટાવશે.સાથે જ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે..જેમાં મોટી સંખ્યામાં ઉમિયા ભક્તો જોડાશે..શોભાયાત્રામાં હાથી, ઘોડા અને ઉંટની ઝાંખીઓ પણ રહશે.શોભાયાત્રાનો મુખ્ય હેતુ વ્યસનમુક્તિની જનજાગૃતિ અને રસીકરણની જાગૃતિનો છે.

આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”

આ પણ વાંચો : PORBANDAR : ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSના પોરબંદરમાં ધામા, એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">