Ahmedabad: વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિર નિર્માણ અભિયાનમાં જોડાયા 50 વિદેશી પરિવારો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત

'હું પણ પાયાનો પિલ્લર...' અભિયાનમાં પાટીદાર સહિત વિશ્વના ભારતીય મૂળના NRI મિત્રો સાથે સાથે અમેરિકન અને કેનેડિયન લોકો પણ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરના ધર્મસ્તંભના યજમાન બની રહ્યા છે.

Ahmedabad: વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિર નિર્માણ અભિયાનમાં જોડાયા 50 વિદેશી પરિવારો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 27, 2023 | 6:42 PM

વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણના સહયોગના હેતુથી ચાલી રહેલા ‘હું પણ પાયાનો પિલ્લર…’ અભિયાનમાં પાટીદાર સહિત સમસ્ત વિશ્વના 1440 મહાનુભાવોને મળશે. જોકે તેમાં હવે ભારતીય મૂળના NRI મિત્રો સાથે સાથે અમેરિકન અને કેનેડિયન લોકો પણ વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિરના ધર્મસ્તંભના યજમાન બની રહ્યા છે. અહીં ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા. આજે કથામાં કૃષ્ણ રૂકમણિ વિવાહ ઉત્સવની ઉજવણી કરાઈ હતી.

વિશ્વ ઉમિયાધામે વસુધૈવ કુટુમ્બકમને ચરીતાર્થ કર્યું, 50 વિદેશી પરિવારો જોડાયા

શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે પાટીદાર સહિત ભારતીય મૂળના 101 NRI મહાનુભાવો ધર્મસ્તંભના યજમાન બન્યા છે તો સાથો સાથ 25થી વધુ અમેરિકન મહાનુભાવો અને 25 કેનેડિયન મહાનુભાવો પણ વિશ્વઉમિયાધામના ધર્મસ્તંભના યજમાન બન્યા છે. વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી અમેરિકા અને કેનેડાની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમ દ્વારા અમેરિકન અને કેનેડિયન લોકોને પણ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણમાં સહભાગી બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે છઠ્ઠા દિવસે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા. આજે કથામાં કૃષ્ણ રૂકમણિ વિવાહ ઉત્સવની ઉજવણી કરાઈ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિશ્વ ઉમિયાધામમાં 101 NRI સાથે 50 મૂળ અમેરિકન અને કેનેડિયન મહાનુભાવો પાયાના પિલ્લર બન્યા

આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર એ માત્ર કડવા પાટીદાર સમાજનું મંદિર નથી એ સમસ્ત સમાજ અને વિશ્વના તમામ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. વિશ્વ ઉમિયાધામ એ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી વિશ્વના દરેક સમાજને જોડવાનું કામ કરી રહ્યું છે. અમેરિકન અને કેનેડિયન મહાનુભાવોનું વિશ્વ ઉમિયાધામમાં જોડાવું એ આપણા માટે ગર્વની વાત છે.

વિશ્વ ઉમિયાધામમાં હું પણ પાયાનો પિલ્લર છું : વિલિયમ ટેલર, મેરીલેન્ડ

અમેરિકાના મેરીલેન્ડ નિવાસી વિલિયમ ટેલરે જણાવ્યું કે હું પણ વિશ્વ ઉમિયાધામમાં પાયાનો પિલ્લર છું. અમને વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરના પાયાના પિલ્લર બનવાનો મોકો મળ્યો તે આનંદની વાત છે. અમે 25 અમેરિકન લોકો પાયાના પિલ્લર બનીશું.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">