Ahmedabad: ઇસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, 30 જૂને યોજાશે ‘નેત્રોઉન્મીલન’ ઉત્સવ

આશરે 5 હજારથી વધારે નગરજનો રથયાત્રામાં (Rathyatra) જોડાશે. રથયાત્રા દરમિયાન 300 કિલો ખીચડી તથા મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

Ahmedabad: ઇસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, 30 જૂને યોજાશે 'નેત્રોઉન્મીલન' ઉત્સવ
Iskon Temple Rathyatra
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 29, 2022 | 3:42 PM

ભગવાન જગન્નાથની (Lord Jagannath) સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર (ISKCON Temple) દ્વારા પશ્ચિમ અમદાવાદ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ ઇસ્કોન મંદિરની 13મી રથયાત્રા હશે. રથયાત્રા (Rathyatra) પૂર્વે ઇસ્કોન મંદિરમાં રથયાત્રાની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. પરંપરાગત રીતે રથયાત્રા પૂર્વ ઇસ્કોન મંદિરને 400 ભક્તો દ્વારા સફાઈ કરવામાં આવી છે જેને “ગુંડિચા માર્જન” ઉત્સવ કહેવામાં આવે છે. સાથે સાથે રથને પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ભગવાનનો “નેત્રોઉન્મીલન” ઉત્સવ થશે

રથયાત્રાના એક દિવસ પહલા એટલે 30 જૂનના રોજ ભગવાનનો “નેત્રોઉન્મીલન” ઉત્સવ ઉજવામાં આવશે., જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ તથા બહેન સુભદ્રાજીના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. તો 1 જુલાઈના રોજ 35 ફુટ ઊંચા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ તથા બહેન સુભદ્રાજીને બિરાજવામાં આવશે. ભગવાનના રથને વિવિધ જાતના રંગબેરંગી દેશી તથા વિદેશી ફૂલ દ્વારા સુશોભિત કરવામાં આવશે. તથા ભગવાન જગ્ગનાથ, ભાઈ બલદેવ તથા બહેન સુભદ્રાજીને નવા વસ્ત્રોથી સુશોભિત કરવામાં આવશે.

ભગવાનને 56 ભોગ અર્પણ કરાશે

રથયાત્રા ચાલુ થાય તે પહેલા ભગવાનને 56 ભોગ અર્પણ કરવામાં આવશે અને ભગવાનની આરતી પછી વિધિવત રીતે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જે રથયાત્રા સાંજે 4 કલાકે રથયાત્રા બિલેશ્વર મહાદેવથી નીકળી શ્યામલ ચાર રસ્તા, આનંદ નગર રોડ, થઇ પ્રેરણાતીર્થ દેરાસર થઇ આનંદ નીકેતન સ્કૂલ થઇ રામદેવનગરથી ઇસ્કોન મંદિર પહુંચશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

300 કિલો ખીચડી તથા મગનો પ્રસાદ

આશરે 5 હજારથી વધારે નગરજનો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા દરમિયાન 300 કિલો ખીચડી તથા મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા મૃદંગ, કરતાલ, જેવા વાજીંત્રો સાથે કીર્તન કરવામાં આવશે. સાથે-સાથે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લિખિત પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવશે.

જે રથયાત્રામાં 150થી વધારે પોલીસ કર્મીનું બંદોબસ્ત તથા ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર રથયાત્રાનું નિરક્ષણ કરવામાં આવશે. સંત સવૈયાનાથ સમાધિ સ્થાનના પૂજ્ય મહંત સંભુનાથજી મહારાજ તથા રાજકારણી મહાનુભાવો દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. રથયાત્રા બાદ તમામ ભક્તો માટે ઇસ્કોન મંદિરમાં ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે સમગ્ર રથયાત્રા ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજી ના નેતૃત્વમાં નીકળશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">