Gujarati NewsGujaratAhmedabad15000 policemen will be deployed in Ahmedabad during Navratri these guidelines have been announced for the organizers the rules have been announced regarding the dress code of girls
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન 15000 પોલીસકર્મીઓ રહેશે તૈનાત, આયોજકો માટે આ ગાઈડલાઈન કરાઈ જાહેર, યુવતીઓના ડ્રેસકોડને લઈને નિયમો જાહેર
નવરાત્રીને આડે હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ તેને લઈને પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોમર્શિયલ ગરબા આયોજકોએ ચુસ્ત રીતે નિયમો પાડવામાં માટેની સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત મહિલા સુરક્ષા અને ટ્રાફિક લગતા ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
Follow us on
અમદાવાદ સહિત રાજ્યભરમાં નવરાત્રિના એટલે કે 3 ઓકટોબર થી 11 ઓકટોબર માટે અનેક નાના મોટા આયોજનો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રિના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ બની રહે તેમજ રાતના સમયે લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. જે અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
નાના શેરી ગરબાનાં આયોજકોને જે તે પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવાની રહેશે. જ્યારે કોમર્શિયલ એટલે કે મોટા આયોજનો માટે લાયસન્સ બ્રાન્ચમાંથી મંજૂરી મેળવવા માટે સૂચના આપવામાં આવી છે.
ગરબાના સ્થળે ચાર દિશામાં વોચ ટાવર રખાવી વીડિયો સુટીંગ કરાવવું.
સરકારની સુચના મુજબ ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તથા તેની અવર-જવર માટે ગેટ રાખવા.
ગરબાનું આયોજન થતું હોય ત્યાં પ્રવેશ દ્વાર પર ડૉરફેમ મેટલ ડીટેક્ટર/હેન્ડ મેટલ ડીટેક્ટર તથા સિક્યુરીટી સ્ટાફ તથા Breath Analyzer વગેરે રાખવો અને શંકાસ્પદ વ્યક્તિની શારીરિક ચકાસણી કરવી. કોઈપણ વ્યક્તિ નશાની હાલતમાં જણાય તો તાત્કાલીક પોલીસને જાણ કરવાની રહેશે. મહીલા સુરક્ષા કર્મચારી પણ રાલામતિ વ્યવસ્થા માટે રાખવા.
આયોજકોએ ગરબાના સ્થળની ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં ટિકીટ’પાસનું વેચાણ/વિતરણ કરવું નહીં.
દાંડીયારાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે પારદર્શક કપડા પહેરવા નહી.
ગરબીમાં અશ્લીલ પ્રોગ્રામ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અઘટીત બનાવ બનો તો સંપુર્ણ જવાબદારી આયોજકોની રહેશે.
આયોજકો દાંડીયા રાસના આયોજન દરમ્યાન જાહેર સુરુચીનો ભંગ થાય કે ધાર્મિક લાગણી દુભાય તેવી ચેષ્ટાવાળા ગીતો વગાડી કે ગવડાવી શકશે નહીં તથા ગરબીમાં રમનારા ખૈલૈયાઓએ અશિશ અભદ્ર વેશભુષા ધારણ કરવી નહી.
મહત્વનું છે કે અત્યાર સુધીમાં શહેર પોલીસને ગરબાનાં આયોજન માટે 80 જેટલી અરજીઓ મળી છે, જેની મંજૂરીની પ્રક્રિયા શરૂ છે. શહેર પોલીસના 14 હજારથી વધુ અધિકારીઓ કર્મચારીઓ નવરાત્રિ દરમિયાન બંદોબસ્તમાં તૈનાત રહેશે. રાત્રિનાં સમયે મહિલાઓની સલામતી માટે શી ટીમ પણ કાર્યરત રહેશે, સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોએ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસની ગાઈડલાઈન અનુસરવી પડશે. સીસીટીવી કેમેરા, વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ જેવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવી પડશે. મહિલાઓ માટે મહિલા સ્વંય સેવકો રાખવા પડશે. પોલીસની અલગ અલગ હેલ્પ લાઈન સતત કાર્યરત રહેશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો