અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એક યુવકને જીવતો સળગાવવાની ઘટનાએ ચકચાર મચાવી છે. નજીવી બાબતે યુવક અને બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી અને જોતજોતામાં સગા ભાઈઓએ શેતાનનું રૂપ ધારણ કરી યુવકને કેરોસીન છાંટી સળગાવી દીધો હતો. જેના કારણે આજે યુવાન એલ.જી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શેતાની કૃત્ય કરનાર બંને ભાઈઓ એ કેવી રીતે એક પરિવારને માર માર્યો અને તેના કુળદીપકને બુજાવી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો ઘટનાની વાત કરવામાં આવે તો પ્રદીપ અને નરેશ બંને સગા ભાઇઓએ જ્વલનશીલ પદાર્થ ભરેલી બોટલ યુવકની છાતી પર રેડીને પછી દીવાસળી ચાંપી યુવકની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આરોપીઓએ માત્ર આ યુવકનો જીવ લેવાનો પ્રયત્ન જ નહતો કર્યો પરંતુ તેના પરિવારના સભ્યોને પણ બેરહેમીથી માર માર્યો હતો. અમાનુષી કૃત્ય કર્યા બાદ બંને ભાઈઓ અત્યારે હાલ ઇસનપુર પોલીસના ચોપડે હત્યાની કોશિશના આરોપી ઘોષિત થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જ્યારે પોલીસ આરોપીઓને પકડવા પહોંચી ત્યારે બંને આરોપીઓ પહેલેથી જ ફરાર થઈ ગયા હોવાની હકીકત બહાર આવી છે તો બીજી તરફ આ ચોંકાવનારી ઘટનાને લઇને સમગ્ર ઇસનપુર વિસ્તારમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
[yop_poll id=”1″]