અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં તપાસનો ધમધમાટ ચલી રહ્યો છે. ત્યારે સગીરાઓ સાથે ગેરવર્તન મુદ્દે આશ્રમની 2 સંચાલિકાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વા નામની સંચાલિકાની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: Zomato ફુડ ડિલિવરીના નામે દારૂની હેરાફેરી ઝડપાઈ, 6 વિદેશી દારૂની બોટલ સાથે ડિલિવરી બોયની ધરપકડ
નિત્યાનંદ આશ્રમ વિરૂદ્ધ પગલાં લેવાઈ શકે છે. બસ હવે ફક્ત ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બાળ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ કહ્યું કે- આખાય પ્રકરણમાં CWCની તપાસ ચાલી રહી છે. આશ્રમમાં 18 વર્ષથી નીચેના બાળકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બચાવાયેલા બે બાળકોના નિવેદન લેવાયા છે. CWCના રિપોર્ટ બાદ એ પણ સામે આવી જશે કે આશ્રમમાં બાળકો સાથે કઈ રીતનું વર્તન કરાતું હતું. બાળકોના નિવેદન લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ CWC રિપોર્ટ આપશે. જેના આધારે આશ્રમ વિરૂદ્ધ પગલાં લેવામાં આવશે. જાગૃતિ પંડ્યાએ અપીલ કરી કે બાળકો કોઈ લોભ-લાલચમાં ન આવે અને પોતાના અધિકાર માટે જાગૃત થાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો