AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદથી ગોવા, હરિદ્વાર અને વારાણસી જવા માગતા મુસાફરો માટે રાજ્ય સરકારે કરી ખાસ વ્યવસ્થા, જુઓ VIDEO

અમદાવાદથી ગોવા, હરિદ્વાર અને વારાણસી જતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. હવે ગોવા, હરિદ્વાર અને વારાણસી જવા માટે વોલ્વો બસની સેવા અમદાવાદથી જ મળી રહેશે. એસટી વિભાગ દ્વારા બુધવારથી 13 નવા રૂટ શરૂ કરવામાં આવશે. આ 13 નવા રૂટથી દેશના 6 રાજ્ય સાથે એસટી બસની કનેક્ટિવિટી શરૂ કરાશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નવી બસોને લીલીઝંડી […]

અમદાવાદથી ગોવા, હરિદ્વાર અને વારાણસી જવા માગતા મુસાફરો માટે રાજ્ય સરકારે કરી ખાસ વ્યવસ્થા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 23, 2019 | 5:14 AM

અમદાવાદથી ગોવા, હરિદ્વાર અને વારાણસી જતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. હવે ગોવા, હરિદ્વાર અને વારાણસી જવા માટે વોલ્વો બસની સેવા અમદાવાદથી જ મળી રહેશે. એસટી વિભાગ દ્વારા બુધવારથી 13 નવા રૂટ શરૂ કરવામાં આવશે. આ 13 નવા રૂટથી દેશના 6 રાજ્ય સાથે એસટી બસની કનેક્ટિવિટી શરૂ કરાશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નવી બસોને લીલીઝંડી આપશે. વિવિધ રૂટ્સ પરના બસના ભાડાની અને કેટલો સમય લેશે વોલ્વાવો તેના પર નજર કરીએ.

અમદાવાદથી ગોવા

અમદાવાદથી ગોવા જવા માટે સાંજે ચાર વાગ્યે એસટી વોલ્વો બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે છ વાગ્યે ગોવા પહોંચાડશે. ગોવા માટે 3, 320 રૂપિયા ભાડું ચુકવવું પડશે.

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

જુઓ VIDEO:

અમદાવાદથી હરિદ્વાર

હરિદ્વાર જવા માટે સવારે 11 વાગ્યે બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ માટે મુસાફરે 2,696 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

અમદાવાદથી વારાણસી

વારાણસી માટે એસટીની વોલ્વો રાત્રે આઠ વાગ્યે ઉપડશે. આ બસ ત્રીજા દિવસે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે વારાણસી પહોંચાડશે. એટલે કે અમદાવાદથી વારાણસી પહોંચવા માટે ટ્રેનમાં જેટલો સમય લાગે છે તેના પહેલા એસટીની બસ વારાણસી પહોંચી જશે. એક અંદાજ પ્રમાણે બસમાં મુસાફરી માટે 33 કલાક જેટલો સમય લાગશે. વારાણસી જવા માટે 3,315 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

અમદાવાદથી ચંદીગઢ

જ્યારે ચંદીગઢ માટે બપોરે બે વાગ્યે બસ ઉપડશે. આ બસ ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચશે. આ માટે મુસાફરે 2,425 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

આ પણ વાંચો: હવે IRCTC માત્ર ટ્રેનની જ નહીં, પરંતુ કરાવશે દુનિયાના સુંદર દેશોની હવાઈ મુસાફરી પણ, જાણો IRCTCના Jordan, Egypt અને Israelના પેકેજની કિંમત

વોલ્વો સવારી

ગોવા, હરિદ્વાર, વારાણસી જતા મુસાફરો માટે આનંદના સમાચાર વોલ્વો બસની સેવા અમદાવાદથી જ મળી રહેશે એસટી વિભાગ આજે શરૂ કરશે 13 નવા રૂટ દેશના 6 રાજ્યો સાથે એસટી બસની કનેક્ટિવિટી

[yop_poll id=752]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">