અમદાવાદ: રાજપથ અને કર્ણાવતી કલબમાં પ્રથમ 2 નોરતાના ગરબા કેન્સલ

|

Sep 28, 2019 | 9:39 AM

ચાલુ વર્ષે અમદાવાદમાં પણ મેઘરાજા નવરાત્રીની મજા બગાડી શકે છે. વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબે નવરાત્રીના પહેલા 2 નોરતાના ગરબાને રદ્દ કર્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, તેમ જ રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબના ગરબા ગ્રાઉન્ડ અને પાર્કિંગમાં હજુ પણ વરસાદી પાણી […]

અમદાવાદ: રાજપથ અને કર્ણાવતી કલબમાં પ્રથમ 2 નોરતાના ગરબા કેન્સલ

Follow us on

ચાલુ વર્ષે અમદાવાદમાં પણ મેઘરાજા નવરાત્રીની મજા બગાડી શકે છે. વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબે નવરાત્રીના પહેલા 2 નોરતાના ગરબાને રદ્દ કર્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, તેમ જ રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબના ગરબા ગ્રાઉન્ડ અને પાર્કિંગમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે બંને ક્લબ તરફથી પહેલા 2 દિવસના નોરતા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 2 દિવસ બાદ આગળના નોરતાને લઈ પ્લાન નક્કી કરવામાં આવશે. મેઘરાજાને કારણે ચાલુ વર્ષે નવરાત્રીનું ધોવાણ થાય અને ખેલૈયાઓની મજા પર પાણી ફરી વળે તેવા ચોક્કસ અણસાર લાગી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article