અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને લોકોનું આરોગ્ય સારું રહે તે માટે કોર્પોરેશને એક મહત્વનો આદેશ કર્યો છે. કોર્પોરેશન તંત્રએ મીઠાઈના દુકાનદારોને આદેશ કર્યો છે કે તેઓ ખુલ્લી મીઠાઈની પણ એક્સપાઈરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ ડેટ લખવાનું રાખે.
જેથી ગ્રાહકને તેની ખબર પડે. ઘણીવાર બોક્સમાં રાખેલી એક્પાઈરી ડેટવાળી મીઠાઈ દુકાનદાર બહાર ખુલ્લી મૂકી દેતા હોય તેવું પણ બને છે. આવું ન બને તે માટે તંત્રએ આ નિર્ણય લીધો છે. જેથી દુકાનદારો લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરી શકે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો