વાયરલ વિડિયો જોઈ જેના પર હસતા હતા લોકો, એના પ્રસંશનીય કામ બદલ AMCએ સન્માન કર્યું

|

Sep 24, 2021 | 3:13 PM

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે રસીકરણની સારી કામગીરી બદલ હેલ્થ વોરિયર જગદીશ કુમાર શાહનું સન્માન કર્યું

વાયરલ વિડિયો જોઈ જેના પર હસતા હતા લોકો, એના પ્રસંશનીય કામ બદલ AMCએ સન્માન કર્યું
Ahmedabad Municipal Commissioner honors health warrior Jagdish Kumar Shah for good vaccination performance

Follow us on

સન્માન સારું કામ કરનારાઓનું થાય છે, નહી કે તેમની મજાક ઉડાવાનારાઓનું !!

AHMEDABAD : થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાયરલ થયો હતો. એ વિડીયોમાં રસીકરણ અભિયાનનો એક કર્મચારી યુવક રોડ પર ઉભો રહી બુમો પડતો હતો અને જેમનું રસીકરણ બાકી હોય તેમને  રસી મુકાવવા માટે આમંત્રિત કરી રહ્યો હતો. આ યુવકનું નામ હતું જગદીશ કુમાર શાહ અને આ એ દિવસ હતો 17 સપ્ટેમ્બર, કે જયારે વડાપ્રધાન મોદીના જન્મદિવસે રાજ્ય સહીત દેશભરમાં મેગા રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું અને ભારતના લોકોએ સૌથી વધારે સંખ્યામાં રસીકરણ અભિયાનમાં ભાગ લઇ સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હવે મૂળ વાત પર આવીએ, જે વાયરલ વિડીયોમાં રસીકરણ અભિયાનનો એક કર્મચારી યુવક રોડ પર ઉભો રહી લોકોને રસી લેવા માટે બોલાવી રહ્યો હતો, એની લોકોએ ખુબ મજાક ઉડાવી હતી. પણ આ મજાક ઉડાવનારા લોકો એ ભૂલી ગયા કે 17 સપ્ટેમ્બરે રાજ્યમાં અને દેશમાં સૌથી વધુ રસીકરણ થયું એમાં જગદીશ કુમાર શાહ જેવા હજારો હેલ્થ વોરિયરની મહેનત પણ હતી. પણ સન્માન સારું કામ કરનારાઓનું થાય છે, નહી કે તેમની મજાક ઉડાવાનારાઓનું !!

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે રસીકરણની સારી કામગીરી બદલ હેલ્થ વોરિયર જગદીશ કુમાર શાહનું સન્માન કર્યું છે. આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એ વાયરલ વિડીયો સાથે  ટ્વીટ કરવામાં આવ્યું છે કે,

“પોતાને સોંપવામાં આવેલી ફરજમાં એક ડગલું આગળ ચાલીને કામ કરવું એ AMCના દરેક કર્મચારીમાં જોવા મળે છે, જેમ કે અમારા હેલ્થ વોરીયર જગદીશ કુમાર શાહ, કે જેઓ રસીકરણ અભિયાનમાં કોરોના રસી લઈને લોકોને તેમનો જીવ બચાવવાની અપીલ કરી રહ્યાં છે.”

આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

Published On - 3:08 pm, Fri, 24 September 21

Next Article