અમદાવાદની ઓળખ ગણાતા ઐતિહાસિક એલિસબ્રિજની મરામતની કામગીરી શરૂ કરવા માટે કોર્પોરેશન દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે જૂનો એલિસબ્રિજ છે તે હાલ બંધ છે. આ બ્રિજ વોકવે માટે શરૂ કરવાનું કોર્પોરેશન વિચારી રહ્યું છે અને સાથે સાથે નાનકડી આર્ટ ગેલેરી પણ ઊભી થાય તેવું આયોજન કરવાનું કોર્પોરેશન વિચારી રહ્યું છે.
આ માટે કોર્પોરેશન કન્સલ્ટન્ટની નિમણૂક કરશે અને તેને 71 લાખ રૂપિયાની ફી ચૂકવશે. આ અંગેનું કામ સોમવારે મળેલી રોડ અને બિલ્ડીંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. કન્સલ્ટન્ટ જે બ્રિજ છે તે બ્રિજનો જુદા જુદા પ્રકારનો ટેસ્ટ કરશે અને કયા કયા કામ કરવા જરૂરી છે તેનો એક રિપોર્ટ કોર્પોરેશનને આપશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોર્પોરેશન રીપોર્ટને આધારે ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને બ્રિજનુ રીપેરીંગ કામ કરશે, ત્યારે એ બાબત મહત્વની છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મરામતની કામગીરી કરવાની વાત કરવામાં આવતી હતી. આખરે હવે તે અંગે કામગીરી શરૂ થશે તેવી આશા દેખાઈ રહી છે. એ બાબત મહત્વની છે કે આશીત વોરા મેયર હતા ત્યારે ભાજપ દ્વારા એલિસબ્રિજ તોડવાની દરખાસ્ત લાવવામાં આવી હતી. જેને લઈને ભારે હોબાળો થયો હતો અને આખરે ભાજપને નિર્ણય રદ કરવાની ફરજ પડી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો