કોંગ્રેસી નેતા અને પૂર્વ પાસ આગેવાન હાર્દિક પટેલ પાછલા કેટલાક દિવસોથી ઘરે આવ્યો નથી. આ મુદ્દે તેની પત્નીએ ચિંતા વ્યક્ત કરી છે. અને હાર્દિક પટેલને ભાજપ સરકાર દ્વારા હેરાન કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે. હાર્દિકની પત્ની આજે પ્રથમ વાર મીડિયા સમક્ષ આવી હતી. અને ગત્ત 18મી તારીખથી હાર્દિક ગાયબ હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે તેનું માનવું છેકે, હાર્દિક પર વસ્ત્રાપુરમાં પોલીસ મથકમાં નવો કેસ થયો છે. અને તેમાં તે ફસાયો હોઇ શકે છે. જોકે તેણે ચીમકી ઉચ્ચારી છે કે, જો હાર્દિક પટેલને કશું થશે તો તેના માટે ગુજરાતની ભાજપ સરકાર જવાબદાર ઠરશે.
જોકે બીજી તરફ ફરી એકવાર પાટીદારોને એક કરીને સરકાર સામે ન્યાય માટે લડત ચલાવવામાં આવશે. આ હુંકાર કર્યો છે પાસ પ્રમુખ અલ્પેશ કથિરિયાએ. અલ્પેશે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, રાજ્ય સરકારે કેસો પાછા ખેચવાની કરેલી જાહેરાત અને સમાધાન સમયે પાટીદાર અગ્રણીઓએ કરેલા વાયદા મુદ્દે તેમની પાસે જવાબ માગવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 11:12 am, Mon, 10 February 20