Ahmedabad માં વાદળછાયા વાતાવરણથી બે દિવસમાં 12 ફ્લાઇટ રદ કરાઇ, 09 ફ્લાઇટ લેટ પડી

|

Jun 17, 2021 | 10:08 PM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા 2 દિવસ થી વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના લીધે  09 ફ્લાઇટ(Flight)લેટ પડી છે. તેમજ 12 ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

Ahmedabad માં વાદળછાયા વાતાવરણથી બે દિવસમાં 12 ફ્લાઇટ રદ કરાઇ, 09 ફ્લાઇટ લેટ પડી
અમદાવાદમાં વાદળછાયા વાતાવરણથી બે દિવસમાં 12 ફ્લાઇટ રદ કરાઇ

Follow us on

ગુજરાતમાં પૂરેપૂરું ચોમાસુ સક્રિય થયું નથી એ પહેલા જ અમદાવાદ એરપોર્ટ(Airport)પર હવાઈ મુસાફરીને થવાનું શરૂ થઈ છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા 2 દિવસ થી વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના લીધે  09 ફ્લાઇટ(Flight)લેટ પડી છે. તેમજ 12 ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

વાદળછાયા વાતાવરણને કારણે વિઝીબીલીટી ઓછી થઇ

અમદાવાદ(Ahmedabad)શહેરમાં વાદળછાયા વાતાવરણને કારણે વિવિધ ફ્લાઇટ(Flight)ના ટેકઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલી સર્જાતી હોય છે જેને કારણે સામાન્ય કરતા વિઝીબીલીટી ઓછી હોય ત્યારે ફ્લાઇટ્સને ટેકઓફ માટે ATCદ્વારા મંજૂરી આપવામાં નથી આવતી. ગુરુવારે પણ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદી માહોલ હતો જેને કારણે અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી 09 ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં મોડી પડી અને 12 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મુસાફરોએ એરપોર્ટ પર જ સમય વિતાવવો પડ્યો

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઓપરેટ કરાતી હોવાને કારણે રોજબરોજ અનેક ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવતું હોય છે. ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ થનારી લખનૌ , દિલ્હી , બેંગલુરુ જતી ફ્લાઇટના ટેકઓફમાં વિલંબ થયો હતો જેને કારણે મુસાફરોએ એરપોર્ટ પર જ સમય વિતાવવો પડ્યો હતો.

નિર્ધારિત સમય કરતાં 30 મિનિટ થી લઈને 4 કલાક મોડી

અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી વિવિધ ફ્લાઇટ(Flight)નિર્ધારિત સમય કરતાં 30 મિનિટ થી લઈને 4 કલાક મોડી જેટલી મોડી પડી હતી. તો બુધવારે રાત્રે અમદાવાદ શહેરમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરાયેલ 6 ફ્લાઇટ્સને અસર થઈ હતી જેને કારણે ગુરુવારે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.

મુસાફરોએ અન્ય વિકલ્પ શોધવાની ફરજ પડી

અમદાવાદ(Ahmedabad) એરપોર્ટથી ઓપરેટ થતી લખનૌ, દિલ્હી, બેંગલુરુ , હૈદરાબાદ , ગોવા , વારાણસી , મુંબઈ, ચંદીગઢ જતી ફ્લાઇટ(Flight)રદ કરવામાં આવી હતી જેને કારણે મુસાફરોએ અન્ય વિકલ્પ શોધવાની ફરજ પડી હતી

Published On - 10:05 pm, Thu, 17 June 21

Next Article