અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોએ હદ કરી નાખી. રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવા નીકળેલા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓ એસી કારમાંથી નીચે જ ન ઉતર્યા. તેઓ રથયાત્રાના સરસપુરથી જગન્નાથ મંદિર સુધીના રૂટ પર કેવી તૈયારીઓ કરવામાં આવી છે. તેની સમીક્ષા કરવા નીકળ્યા હતા. જેથી દરેક સ્થળે ઉભા રહીને ત્યાં શું કામ થયું છે. તેનું નિરીક્ષણ કરવાનું હોય છે. પરંતુ સત્તાધીશો તો કારમાંથી નીચે ઉતર્યા જ નહીં.
આ પણ વાંચોઃ ગુજરાતની આ દિકરીએ પોતાની મહેનતના આધારે નેવીમાં મેળવી મોટી સફળતા, જુઓ આ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જમીન પર પગ મૂકવાની તેમણે તસ્દી પણ ન લીધી અને આખાય રૂટનું નિરીક્ષણ કારમાં બેસીને જ કરી નાખ્યું. ચાર જુલાઈએ રથયાત્રા છે. હવે કારમાંથી કરેલા નિરીક્ષણમાં કોઈ ચૂક રહી ગઈ અને રથયાત્રાના દિવસે કોઈ અણબનાવ બન્યો તો તેના માટે જવાબદાર કોણ ? રહેશે તે એક મોટો સવાલ છે. જોકે, કેટલીક જગ્યાએ ભયજનક મકાનો અને રોડ બાબતે સૂચનાઓ પણ આપવામાં આવી છે.