એક તરફ લોકોને પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ રડાવી રહ્યા છે. કેમ કે તેની સીધી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ પર અસર પડી છે. જેના કારણે ભાવ વધ્યો હતો. ત્યાં બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારો થતાં લોકોની થાળીમાંથી શાકભાજી ઓછી થવા લાગી છે. અને તેનું કારણ છે પેટ્રોલ ડીઝલ ની સાથે શાકભાજીએ પણ ભાવમાં સદી વટાવી છે.
જે શાકભાજી થોડા દિવસો પહેલા 50 રૂપિયા આસપાસ કિલો મળતા હતા. તે જ શાકભાજી હાલમાં 100 થી 150 રૂપિયે કિલો મળી રહી છે. જેના કારણે ગૃહિણીઓ સાથે તેમનું બજેટ ખોરવાયું છે. કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકોએ ખર્ચમાં કાપ મુક્યો અને તેવા એકાએક શાકભાજીનો ભાવ વધતા ખર્ચ સાથે શરીરને પ્રોટીન આપતા શાકભાજી ખાવામાં પણ કાપ મુકવાનો લોકોને વારો આવ્યો છે.
વેપારીઓના મત પ્રમાણે વધુ પડતા વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ વધ્યા છે. જેમાં હાલમાં ગવાર, ચોળી, ભીંડા, ગવાર, કોથમીર, તુવેર, વટાણા પાકના ભાવ 100 થી 150 રૂપિયા હોલસેલમાં પહોંચ્યો છે.
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં વરસાદના કારણે શાકભાજીના પાકને મોટા પાયે નુકશાન થયું છે. તો પર પ્રાંતમાં વધુ વરસાદ અને શાકભાજીમાં આવક ઘટતા પણ અસર પડી છે. જેમાં 60 ટકા ઉપર શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો. તો શાકભાજીના પાકને 50 થી 60 ટકા નુકશાન થયાનું પણ વેપારીનું નિવેદન છે.
મહત્વનું છે કે ચોમાસાની શાકભાજીના સમયે પુષ્કળ વરસાદ પડતાં પાકને નુકશાન થતા ભાવ વધ્યો છે. જે ભાવ વરસાદ ઘટે અથવા નવો પાક આવે ત્યારે ભાવ ઘટવાની વેપારી શક્યતાઓ શેવી રહ્યા છે. અને તેમાં દિવાળી સુધી ભાવ ઘટવાની શકયતા વેપારીઓ નહિવત માની રહ્યા છે. કેમ કે દિવાળી બાદ નવો પાક આવતો હોય છે અને ત્યારે જ ભાવ ઘટતો હોય છે.
ભાવ વધવાના કારણે ગૃહિણીઓ ના બજેટ પર અસર પડી છે. જેમાં પહેલા કરતા લોકો ઓછી શાકભાજી લઈ રહ્યા છે. તો શાકભાજીના ભાવ વધતા લોકો એ કઠોળ ખાવા પસંદ કરતા હોવાનું પણ જણાવ્યું. સાથે જ શાકભાજીને લઈને સરકારને ધ્યાન આપવા અને ભાવ ઘટાડવા ગૃહિણીએ માંગ કરી છે.
શાકભાજીના હોલસેલમાં કિલોના ભાવ (હાલના)
ગિલોડા 75 થી 90
કોથમીર 50
મરચાં 20
રીંગણ 20 થી 25
દૂધી 20 થી 25
ફુલાવર 25 થી 30
કોબીજ 12 થી 15
તુવેર 80 થી 90
વટાણા 120 થી 140
Published On - 12:37 pm, Thu, 14 October 21