UKથી અમદાવાદ આવેલા 5 મુસાફરોનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. UKમાં કોરોનાનો અલગ વાયરસનો કેર જોવા મળ્યા બાદ ભારતે UKથી આવતી ફ્લાઈટને રદ કરી નાખી હતી. અમદાવાદ આવેલી ફ્લાઈટનાં 5 પોઝીટીવ આવેલા પેસેન્જરને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે. UKથી આવેલા મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરાયો હતો .સાડા પાંચ કલાક સુધી મુસાફરોને એરપોર્ટની અંદર રાખવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે કોરોના વાઇરસનો સ્ટ્રેન બદલાતાં બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં વધુ ઘાતક બન્યો છે, જેને પગલે ભારતથી લંડન જતી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 11 કલાકની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. 246 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 5 મુસાફરોને ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ UKની ફલાઈટમાં પાંચ પેસેન્જર પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.
Published On - 6:47 pm, Tue, 22 December 20