AHMEDABAD : ગુજરાતમાં મેઘરાજા રિસાયા હોવાને કારણે ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે ત્યારે ગુજરાતના ખેડૂતોની નિરાશા દૂર થાય તેવી આગાહી (Rain Forecast) અમદાવાદ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને મોનસુન બ્રેક (Monsoon break) ના કારણે રાજ્યમાં છેલ્લા 2 અઠવાડિયાથી સારો વરસાદ વરસ્યો નથી. જેને કારણે ખેડૂતોને પાક નુક્સાનીની ચિંતા સતાવી રહી છે. ત્યારે મંગળવારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
10 જુલાઈથી મેઘરાજાનું થશે આગમન
બંગાળની ખાડીમાં લાંબા સમય પછી હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું હોવાના સંકેતો હવામાન વિભાગને મળ્યા છે, જેના આધારે રાજ્યમાં સારા વરસાદના અણસાર છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાવાનું છે જેને કારણે પશ્ચિમ ભારતમાં સ્થિર થયેલ નૈઋત્યનું ચોમાસુ આગળ વધે તેવી શકયતા છે. સાથે જ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને લાગેલી મોનસુન બ્રેક (Monsoon break)પણ આ સિસ્ટમને કારણે દૂર થઈ શકે તેમ છે.
Ely winds from BoB would establish over parts of East India from 8th. It would spread into NW India covering Punjab and north Haryana by 10th. Thus, SW monsoon likely to advance over remaining parts of West UP, some more parts of Punjab, Haryana,Rajasthan & Delhi around 10th.
— India Meteorological Department (@Indiametdept) July 6, 2021
બંગાળની ખાડીમાં ઉદભવી રહેલ વરસાદી સિસ્ટમ જો અનુમાન પ્રમાણે આગળ વધશે તો નૈઋત્યના ચોમાસા માટે ફાયદાકારક થશે અને રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં મદદ મળી રહેશે.
મોનસુન બ્રેકનો સમય પુરો થશે
મોનસુન બ્રેકને કારણે છેલ્લા 2 અઠવાડિયાથી ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાને કારણે ગુજરાતમાં સારો વરસાદ નથી વરસ્યો જેને કારણે રાજ્યભરના વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. જો કે આ સ્થિતિ આગામી 9 જુલાઈ સુધી યથાવત રહેશે ત્યારબાદ રાજ્યના વાતાવરણમાં બદલાવ આવશે અને વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે.
11 મી જુલાઈએ બંગાળની ખાડીમાં સક્રિય થનાર હવા ના હળવા દબાણને કારણે ગુજરાતમાં મેઘરાજાની રીએન્ટ્રી થશે. જેથી હવામાન વિભાગ દ્વારા આગાહી (Rain Forecast) કરવામાં આવી છે કે 10મી જુલાઈથી રાજ્યભરમાં વરસાદની તીવ્રતા વધશે.
Published On - 7:03 pm, Tue, 6 July 21