આ વર્ષે રાજ્યમાં ગરબાનું જાહેર આયોજન નહીં કરી શકાય, ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ પર સરકારે પૂર્ણ વિરામ મુક્યું, સંચાલક જાહેરનામાનો ભંગ કરશે તો તેની પર સખત કાર્યવાહી કરવામાં આવશે

|

Oct 09, 2020 | 3:12 PM

આ વર્ષે રાજ્યમાં નહીં યોજાય ગરબા. છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ પર સરકારે પૂર્ણ વિરામ મૂકી દીધો છે અને જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કરી દીધું છે કે, આ વર્ષે રાજ્યમાં ગરબાનું જાહેર આયોજન નહીં કરી શકાય. જો કે, ખુલ્લી જગ્યા પર ગરબી, મૂર્તિની સ્થાપના કરી શકાશે અને પૂજા અને આરતી પણ કરવાની મંજૂરી આપી છે.. […]

આ વર્ષે રાજ્યમાં ગરબાનું જાહેર આયોજન નહીં કરી શકાય, ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ પર સરકારે પૂર્ણ વિરામ મુક્યું, સંચાલક જાહેરનામાનો ભંગ કરશે તો તેની પર સખત કાર્યવાહી કરવામાં આવશે

Follow us on

આ વર્ષે રાજ્યમાં નહીં યોજાય ગરબા. છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ પર સરકારે પૂર્ણ વિરામ મૂકી દીધો છે અને જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કરી દીધું છે કે, આ વર્ષે રાજ્યમાં ગરબાનું જાહેર આયોજન નહીં કરી શકાય. જો કે, ખુલ્લી જગ્યા પર ગરબી, મૂર્તિની સ્થાપના કરી શકાશે અને પૂજા અને આરતી પણ કરવાની મંજૂરી આપી છે.. જો કે, સ્થાપના અને આરતી માટે પણ સરકારે કેટલી શરતો મૂકી છે.. આ શરતો અનુસાર, આ કાર્યક્રમમાં 200થી વધુ લોકો એકઠા નહીં થઇ શકે.. અને એક કલાકથી વધુ સમયનો આ કાર્યક્રમ નહીં યોજી શકાય. વધુમાં વાત કરીએ તો, ભગવાનની મૂર્તિ કે ફોટાને ચરણ સ્પર્શ નહીં કરી શકાય અને પ્રસાદનું વિતરણ નહીં થાય. જાહેરનામામાં ઉલ્લેખ કરેલી વાતો પર નજર કરીએ તો, મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જો કોઇ સંચાલક જાહેરનામાનો ભંગ કરશે તો તેની પર સખત કાર્યવાહી કરવામાં આવશે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:40 am, Fri, 9 October 20

Next Article