આ વર્ષે રાજ્યમાં નહીં યોજાય ગરબા. છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ પર સરકારે પૂર્ણ વિરામ મૂકી દીધો છે અને જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કરી દીધું છે કે, આ વર્ષે રાજ્યમાં ગરબાનું જાહેર આયોજન નહીં કરી શકાય. જો કે, ખુલ્લી જગ્યા પર ગરબી, મૂર્તિની સ્થાપના કરી શકાશે અને પૂજા અને આરતી પણ કરવાની મંજૂરી આપી છે.. જો કે, સ્થાપના અને આરતી માટે પણ સરકારે કેટલી શરતો મૂકી છે.. આ શરતો અનુસાર, આ કાર્યક્રમમાં 200થી વધુ લોકો એકઠા નહીં થઇ શકે.. અને એક કલાકથી વધુ સમયનો આ કાર્યક્રમ નહીં યોજી શકાય. વધુમાં વાત કરીએ તો, ભગવાનની મૂર્તિ કે ફોટાને ચરણ સ્પર્શ નહીં કરી શકાય અને પ્રસાદનું વિતરણ નહીં થાય. જાહેરનામામાં ઉલ્લેખ કરેલી વાતો પર નજર કરીએ તો, મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જો કોઇ સંચાલક જાહેરનામાનો ભંગ કરશે તો તેની પર સખત કાર્યવાહી કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 9:40 am, Fri, 9 October 20