નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી છે. ખેલૈયાઓએ મેદાનમાં રમઝટ બોલાવવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જો કે આ વર્ષે ખેલૈયાઓની મોજમાં મેઘરાજા વિઘ્ન બની શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્કયુલેશન સર્જાતા, પ્રથમ ત્રણ નોરતામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, ત્યારે ચોથા, પાંચમાં અને છઠ્ઠા નોરતામાં મધ્યમથી હળવા ઝાપટાં પડી શકે છે.
આ ઉપરાંત સાતમાંથી નવમાં નોરતા સુધી સાંજના સમયે મધ્યમ ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સક્રિય છે. તેની અસર નવરાત્રીમાં પણ જોવા મળી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો