4 માર્ચથી IRCTC દ્વારા આ સ્પેશિયલ ટ્રેન દોડવવામાં આવશે. આ ટ્રેન વડોદરા ઉભી રહેશે. ત્યાંથી પર્યટકોને કેવડિયા કોલોની-નર્મદા ખાતે બનેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે લઈ જવામાં આવશે. આ પેકેજ અંતર્ગત 7 રાત અને 8 દિવસની ટ્રીપ થશે.
આ ટ્રેનને ભારત દર્શન ટૂર સ્કીમ અંતર્ગત શરૂ કરવામાં આવશે. આ પેકેજમાં 7 રાત અને 8 દિવસની સફર થશે. ટ્રેન ચંદીઢથી શરૂ થશે અને ઉજ્જૈન, ઈંદોર, શિરડી અને નાસિક તથા ઓરંગાબાદ થઈને સફર પૂર્ણ કરશે.
આ સફરમાં પર્યટક ચંદીગઢ, અંબાલા, કુરુક્ષેત્ર, કરનાલ, પાણીપત, દિલ્હી કેંટ, રેવાડી, અલવર અને જયપુરથી બોર્ડ કરી શકો છો.
આ ટ્રેનનું એક સ્ટોપ વડોદરા પણ છે. જ્યાંથી ભારતીય રેલવે જ પર્યટકોને સ્ટેચ્યૂ ઑફ યુનિટી લઈ જશે. મુસાફર બસમાં બેસી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લઈ શકશે.
આ પેકેજમાં નોન એસી સ્લીપર, એસી ક્લાસ, રાત્રિ રોકાણ, નોન એસી વાહનોમાં ફરવાનું, શાકાહારી ભોજન અને સુરક્ષા વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
આ પેકેજનું ભાડું પ્રતિ વ્યક્તિ રૂપિયા 7,560 છે. આ સફર 4 માર્ચથી શરૂ થશે અને 11 માર્ચે ખતમ થશે. તેનું બૂકિંગ તમે IRCTCની વેબસાઈટ પરથી કરાવી શકો છો.
[yop_poll id=1783]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]