AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત AAPના સંગઠનમાં મોટો ફેરફાર, ગોપાલ ઇટાલિયાને બનાવાયા રાષ્ટ્રીય સંયુક્ત સચિવ, ઇસુદાન ગઢવીને બનાવાયા ગુજરાત AAPના અધ્યક્ષ

ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી બન્યા છે. અલ્પેશ કથિરીયાને સુરત ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.

ગુજરાત AAPના સંગઠનમાં મોટો ફેરફાર, ગોપાલ ઇટાલિયાને બનાવાયા રાષ્ટ્રીય સંયુક્ત સચિવ, ઇસુદાન ગઢવીને બનાવાયા ગુજરાત AAPના અધ્યક્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 3:26 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં પાંચ બેઠક પર જ જીત મેળવવા સાથે જ હવે ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઇસુદાન ગઢવીને ગુજરાત AAPના અધ્યક્ષ બનાવાયા છે. તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી સોંપવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી બન્યા છે. અલ્પેશ કથિરીયાને સુરત ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.

ગુજરાત AAP સંગઠનમાં મોટા ફેરફાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આ વખતે તમામ 182 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જો કે તેમાંથી માત્ર પાંચ જ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઇ હતી. ત્યારે હવે ચૂંટણી પછી ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ખૂબ જ ગંભીરતા દાખવી ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી સોંપી હોય તેવુ લાગી રહ્યુ છે. નેશનલ જોઇન્ટ સેક્રેટરી તરીકે મહારાષ્ટ્રની જવાબદારી સોંપાવમાં આવી છે. તો ઇસુદાન ગઢવીને ગુજરાત AAPના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અલગ અલગ ઝોનમાં અલગ અલગ નેતાને જવાબદારી સોંપવામાં આવી છે.

જાણો કોને કઇ જવાબદારી સોંપવામાં આવી

  1. ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય કક્ષાએ સોંપાઇ જવાબદારી
  2. રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી બન્યા ગોપાલ ઇટાલિયા
  3. અલ્પેશ કથિરીયાને સુરત ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા
  4. ચૈતર વસાવાને દક્ષિણ ઝોનના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપાઇ
  5. રમેશ પટેલના ઉત્તર ગુજરાત ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા
  6. જગમલ વાલાને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપાઇ
  7. મધ્ય ગુજરાતની જવાબદારી જેવેલ વાસરા અને કચ્છની જવાબદારી કૈલાશ ગઢવીને સોંપાઇ

લોકસભાની ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ !

જે પ્રકારે આમ આદમી પાર્ટી હવે નેસનલ પાર્ટી બની ચુકી છે. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સારા એવા વોટ મેળવ્યા છે. ત્યારે આ ચૂંટણી પછી કેટલીક બાબતોને ધ્યાને રાખી 2024ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વધુમાં વધુ સારુ પ્રદર્શન કરવા માગતી હોય તેવુ લાગી રહ્યુ છે. જેના માટે જ આમ આદમી પાર્ટી વધુ કમર કસી રહી હોય તેવુ લાગી રહ્યુ છે.

અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
g clip-path="url(#clip0_868_265)">