વલસાડ અને છોટાઉદેપુરના 108ના કોરોના મૃતક પાયલોટના પરિજનોને PMGKP સહાય યોજના હેઠળ 50 લાખની સહાય

|

Oct 01, 2021 | 5:36 PM

પરિવારના જણાવ્યા મુજબ તેઓને આટલી મહામૂલી રકમની સહાય મળશે તેવો અનુમાન પણ ન હતો. GVK EMRI ૧૦૮ ઇમરજન્સી સેવા સંસ્થા દ્વારા PMGKP યોજનાની સહાય અપાવવા જરૂરી કાર્યવાહી કરી કપરા સમયમાં પુરતો સહકાર આપેલ છે.

વલસાડ અને છોટાઉદેપુરના 108ના કોરોના મૃતક પાયલોટના પરિજનોને PMGKP સહાય યોજના હેઠળ 50 લાખની સહાય
50 lakh assistance under PMGKP assistance scheme to the relatives of 108 dead corona pilots of Valsad and Chhotaudepur

Follow us on

વલસાડ જીલ્લામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પર 4 વર્ષથી પાઇલોટ તરીકે ફરજ બજાવતા સ્વ. કિશોરભાઈ રેવલભાઈ મુંગારિયા જેઓએ તેમની કારકિર્દીમાં અનેક લોકોના જીવન બચાવ્યા હતા, અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોને સેવા આપતા આપતા કોરોના વાયરસથી તેઓ પોતે સંક્રમિત થયા હતા. પરંતુ સારવાર દરમ્યાન ન્યુ સિવિલ હોસ્પિટલ, સુરત તા: 24 એપ્રિલ 2021નાં રોજ જીવ ગુમાવ્યો હતો. તેમણે કોરોના મહામારીના કપરા સમયમાં લોકસેવા માટે આપેલું આ બલિદાન ક્યારેય ભૂલાય તેમ નથી.

જીલ્લા કલેકટર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને GVK EMRI 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સંસ્થાના અથાગ પ્રયત્ન થકી PMGKP યોજના હેઠળ રૂપિયા પચાસ લાખ (રૂ.50,00,000)ની સહાય તેમના પરિવારના બેન્ક ખાતામાં જમા કરતા પરિવારજનોએ જીલ્લા કલેકટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત સાહેબ ધરમપુર, મામલતદાર ધરમપુર તથા GVK EMRI 108 ઇમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્વ. કિશોરભાઈ રેવલભાઈ મુંગારિયા કોરોના મહામારી દરમ્યાન સંક્રમણ થતા મૃત્યુ પામેલ હોઈ સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલ ઇન્શ્યોરેન્સ કવરનો લાભ તેઓના પરિવારજનોને મળી શકે તે માટે GVK EMRI સંસ્થા દ્વારા યોજના હેઠળ સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી હાથ ધરેલ હતી. અને સરકારના નિયત કરેલ નીતિનિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સહિતની અરજી સંલગ્ન કચેરી ખાતે મોકલી આપેલ હતી. સરકારના અધિક નિયામકની કચેરી, તબીબી સેવાઓ, આરોગ્ય વિભાગ તથા કલેક્ટરની કચેરી સાથે જરૂરી સંકલન સાધી નિયત કાર્યવાહી પૂર્ણ કરી પરિવારજનોને સમયસર સહાય મળે તે મુજબની સફળ કામગીરી કરેલ હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પરિવારના જણાવ્યા મુજબ તેઓને આટલી મહામૂલી રકમની સહાય મળશે તેવો અનુમાન પણ ન હતો. GVK EMRI ૧૦૮ ઇમરજન્સી સેવા સંસ્થા દ્વારા PMGKP યોજનાની સહાય અપાવવા જરૂરી કાર્યવાહી કરી કપરા સમયમાં પુરતો સહકાર આપેલ છે. પરિવારના સભ્યો દ્વારા સરકાર તથા GVK EMRI 108 ઇમરજન્સી સેવાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે.

તો છોટાઉદેપુર જીલ્લામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પર 13 વર્ષથી પાઇલોટ તરીકે ફરજ બજાવતા સ્વ.રમણભાઈ બારીયા જેઓએ તેમની કારકિર્દીમાં અનેક લોકોના જીવન બચાવ્યા હતા, અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોને સેવા આપતા આપતા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પરંતુ સારવાર દરમ્યાન ગોત્રી હોસ્પિટલમાં તારીખ 12-05-2021નાં રોજ જીવ ગુમાવ્યો હતો.

તેમને કોરોના મહામારીના કપરા સમયમાં લોકસેવા માટે આપેલું આ બલિદાન ક્યારેય ભૂલાય તેમ નથી. જીલ્લા કલેકટરશ્રી અને GVK EMRI 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સંસ્થાના અથાગ પ્રયત્ન થકી PMGKP યોજના હેઠળ રૂપિયા પચાસ લાખની સહાય તેમના પરિવારના બેન્ક ખાતામાં જમા કરતા પરિવારજનોએ જીલ્લા કલેકટર તથા GVK EMRI 108 ઇમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Published On - 3:07 pm, Fri, 1 October 21

Next Article