ભરૂચ નેશનલ હાઈવે પર અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. લુવારા ગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઈજાગ્રસ્ત મુસાફરોની વાત માનીએ તો મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં સુરતથી વડોદરા તરફ જતી ખાનગી બસના ડ્રાઈવરે ઓવરટેક કરવા જતાં બસ આગળ દોડતા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. બે વાહનો વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત હતી કે ટેન્કર પલ્ટી ગયું હતું અને બસનો આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પાલેજથી ભરૂચ સુધીના તમામ સ્થળની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને 10થી વધુ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાને લઈ નબીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: ભાવનગરમાં ચંપલના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે