ગુજરાતના ચાર મુખ્ય શહેર બાદ, હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં વધુ 180 બેડ વધારાયા છે. ઓક્સિજન સાથે 210 બેડ વધારીને 300 કરાશે. જ્યારે નોન એક્સિજન બેડની સંખ્યામાં 90થી વધારો કરીને 190 કરાશે. ઉતર ગુજરાતના કોરોનાના દર્દીઓને ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં મોકલાઈ રહ્યાં છે. ઓક્સિજનયુક્ત 40 બેડ ખાલી છે. તો હોસ્પિટલના તબીબો સહીત કુલ 25 કર્મીઓ કોરોનાની ઝપેટમાં સપડાયેલા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો