VIDEO: સ્વામી નિત્યાનંદના આશ્રમમાં ગોરખધંધા? યુવતીને ગોંધી રાખવાનો અને શારીરિક છેડછાડ થઈ હોવાનો આક્ષેપ

|

Nov 16, 2019 | 4:11 AM

સતત વિવાદોમાં રહેતા સ્વામી નિત્યાંનદ ફરી આવ્યા છે વિવાદમાં, અમદાવાદના હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના આશ્રમમાં 40 બાળકોને ગોંધી રખાયા હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. આ આક્ષેપ 18 વર્ષની એક યુવતીના પિતાએ કર્યો છે. દક્ષિણ ભારતથી દીકરીને લેવા આવેલો પરિવાર એક અઠવાડિયાથી આશ્રમના ધક્કા ખાઈ રહ્યો હતો છતાં પરિવારની મુલાકાત દીકરી સાથે ન કરવા દેતાં […]

VIDEO: સ્વામી નિત્યાનંદના આશ્રમમાં ગોરખધંધા? યુવતીને ગોંધી રાખવાનો અને શારીરિક છેડછાડ થઈ હોવાનો આક્ષેપ

Follow us on

સતત વિવાદોમાં રહેતા સ્વામી નિત્યાંનદ ફરી આવ્યા છે વિવાદમાં, અમદાવાદના હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના આશ્રમમાં 40 બાળકોને ગોંધી રખાયા હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. આ આક્ષેપ 18 વર્ષની એક યુવતીના પિતાએ કર્યો છે. દક્ષિણ ભારતથી દીકરીને લેવા આવેલો પરિવાર એક અઠવાડિયાથી આશ્રમના ધક્કા ખાઈ રહ્યો હતો છતાં પરિવારની મુલાકાત દીકરી સાથે ન કરવા દેતાં પરિવારે આશ્રમમાં દીકરી સાથે શારિરીક છેડછાડ કરાતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

યુવતીના પિતાનું કહેવું છે કે તેમના 4 બાળકોએ વર્ષ 2014માં દીક્ષા લીધી હતી. શરૂઆતમાં પ્રાથમિક શિક્ષણ માટે તેઓને બેંગાલુરૂના આશ્રમ ખાતે રાખવામાં આવ્યા. પરંતુ ત્યારબાદ 3 બાળકો જેમાં 2 દીકરી અને એક દીકરાને પરિવારની પરવાનગી વિના જ અમદાવાદ લાવીને ગોંધી રખાયાનો આક્ષેપ છે. જેમાંથી સૌથી મોટી દીકરી છેલ્લા 1.5 વર્ષથી ગાયબ છે. જ્યારે બીજા નંબરની દીકરીને પણ મળવા દેવામાં નથી આવતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેને લઈ પરિવારે ચાઈલ્ડ વેલ્ફેર અને વિવેકાનંદનગર પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસે સૌથી નાના બે બાળકોને તો આશ્રમમાંથી મુક્ત કરાવ્યા છે. પરંતુ બે મોટી દીકરીઓ આશ્રમના સંચાલકો પાસે જ છે. જ્યારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસે પણ તાળુ તોડીને આશ્રમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ચાઈલ્ડ વેલ્ફેરના અધિકારીઓ અને પોલીસે યુવતીનું નિવેદન લીધું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બેંગ્લોરના આ પરિવારને પોતાની દીકરીઓ પાછી જોઈએ છે. પહેલા તો તેમને હતું કે આશ્રમમાં તેમના બાળકો સંસ્કારી બનશે. પરંતુ મોટી દીકરી 1.5 વર્ષથી ગુમ હોવાથી આશ્રમ પરથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેઓ આશ્રમ અને આશ્રમના સંચાલકો પર ફીટકાર વરસાવી રહ્યા છે અને હૈયાફાટ રૂદન કરી રહ્યા છે.

યુવતીના પરિવારે કરેલા આક્ષેપો બાદ આશ્રમ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આખરે આશ્રમમાં શું રંધાઈ રહ્યું છે? સ્વામી નિત્યાનંદના આશ્રમમાં શું ચાલી રહ્યું છે? શું સ્વામી નિત્યાનંદના આશ્રમમાં દીકરીઓ સલામત નથી? શું યોગિની સર્વાંજ્ઞપીઠમ્ આશ્રમમાં 40 બાળકોને ગોંધી રખાયા છે? કેમ પરિવારને દીકરી સાથે નથી કરવા દેવાતી મુલાકાત? પોલીસે યુવતીનું નિવેદન લીધુ તેમ છતાં પરિવારને કેમ ન સોંપાઈ? કેમ પરિવારને પૂછ્યા વિના તેમની દીકરીને અમદાવાદ લવાઈ? મોટી દીકરી 1.5 વર્ષથી ગુમ છે, તે ક્યાં છે? આ તમામ સવાલો વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે આ પરિવારને તેમની બંને દીકરીઓ ક્યારે પાછી મળશે ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article