રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 1295 દર્દી નોંધાયા. તો કાળમુખો કોરોના 13 લોકોને ભરખી ગયો છે. જો કે એક જ દિવસમાં કોરોનાના કેસ કરતા વધુ 1445 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 87 હજાર 479 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ થોડો વધીને 81.78 ટકા પર પહોંચ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો