જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નિપજ્યું હતું. મૃતક 12 વર્ષીય મુજાહિદ યુસુફ મોરવાડિયા પતંગ લેવા ગયો હતો. વીજ વાયરમાં ફસાયેલો પતંગ તો ન નિકળ્યો પરંતુ કરંટ લાગતા 12 વર્ષીય બાળક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દીધો છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો