AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું એશ્વર્યા શર્મા બનશે જેઠાલાલની નવી દયા ? વીડિયો જોઈ ફેન્સે કહ્યું આ તારક મહેતા શો માટે બેસ્ટ છે અભિનેત્રી

2017 માં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેન એટલે કે દિશા વાકાણીએ શોને અલવિદા કહી દીધું હતું. આ શો વર્ષોથી દયાબેન વગર ચાલતો હોવાથી લોકો આ પાત્રને મિસ કરે છે. નિર્માતાઓએ પણ ઘણી વખત દર્શકોને વચન આપ્યું છે કે દયાબેન શોમાં પાછા ફરશે. આ માટે હવે બિગબોસની કન્ટેસ્ટન્ટ ઐશ્વર્યા શર્માનું નામ ચર્ચાય રહ્યું છે.

શું એશ્વર્યા શર્મા બનશે જેઠાલાલની નવી દયા ? વીડિયો જોઈ ફેન્સે કહ્યું આ તારક મહેતા શો માટે બેસ્ટ છે અભિનેત્રી
Tarak Mehta ka Ooltah Chashmah
| Updated on: Jan 18, 2024 | 6:20 PM
Share

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. આ શો છેલ્લા 15 વર્ષથી લોકોના દિલ અને દિમાગ પર છવાયેલો છે. જો કે, 2017 માં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેન એટલે કે દિશા વાકાણીએ શોને અલવિદા કહી દીધું હતું. આ શો વર્ષોથી દયાબેન વગર ચાલતો હોવાથી લોકો આ પાત્રને મિસ કરે છે.

નિર્માતાઓએ પણ ઘણી વખત દર્શકોને વચન આપ્યું છે કે દયાબેન શોમાં પાછા ફરશે. આ માટે ઘણી અભિનેત્રીઓના નામ પણ સામે આવ્યા હતા. હવે અભિનેત્રી ઐશ્વર્યા શર્મા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે જેઠાલાલની દયા બનીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પ્રવેશ કરી શકે છે.

ઐશ્વર્યા શર્મા બનશે નવી દયા ?

ખરેખર, ઐશ્વર્યા શર્મા તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર લાઈવ આવી હતી, જ્યાં તેણે તેના ચાહકોની ઘણી માંગ પૂરી કરી હતી. લાઈવ દરમિયાન, એક યુઝરે તેણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેનની નકલ કરવાનું કહ્યું, જેને ઐશ્વર્યા શર્મા તેની નકલ કરી અને ફેન્સનો ચોકાવી દીધા. ખાસ વાત એ છે કે તેની એક્ટિંગ જોઈને લોકો પણ પ્રભાવિત થયા હતા. જે બાદ હવે હવે ઐશ્વર્યા શર્માને દયાબેન બનાવવામાં આવેની દર્શકો માંગ કરી રહ્યા છે.

બિગબોસથી ફેમસ થઈ અભિનેત્રી

તમને જણાવી દઈએ કે બિગ બોસ પછી ઐશ્વર્યાને ઘણી ખ્યાતિ મળી છે. બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ ઐશ્વર્યાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું. જ્યાં તેણે ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માન્યો હતો. ફેન્સ કોમેન્ટ કરીને ઐશ્વર્યા સાથે વાત કરતા હતા. ત્યારે એક ચાહકે કમેન્ટ કરી કે દયાબેનની નકલ કરવા કહ્યું. ત્યારે ઐશ્વર્યાએ દયાબેનની જેમ ‘હે મા માતાજી’ કહ્યું. ઐશ્વર્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યારમાં પાખીનું પાત્ર ભજવીને ફેમસ થઈ હતી. આ શોમાં તે તેના લાઈફ પાર્ટનર નીલ ભટ્ટને મળી હતી. બંને સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. આ બંનેએ બિગ બોસમાં કપલ તરીકે એન્ટ્રી કરી હતી.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">