Varun Natasha Reception : રિસેપ્શનમાં Varun Dhawanની શાનદાર એન્ટ્રી, નતાશા થઇ પ્રભાવિત

|

Jan 24, 2021 | 11:32 PM

વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન ઘણા દિવસોથી ચર્ચામાં છે. હવે બંને ફાઇનલી 24 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા છે.

Varun Natasha Reception : રિસેપ્શનમાં Varun Dhawanની શાનદાર એન્ટ્રી, નતાશા થઇ પ્રભાવિત
Varun dhawan

Follow us on

વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન ઘણા દિવસોથી ચર્ચામાં છે. હવે બંને ફાઇનલી 24 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્ન વિશે નવા અપડેટ્સ બહાર આવી રહ્યા છે. લગ્ન પછી બંનેનું રિસેપ્શન થશે જેમાં વરૂણ નતાશા માટે ખાસ એન્ટ્રી કરશે. અહેવાલો અનુસાર વરુણ ક્વાડ બાઇકમાં એન્ટ્રી કરશે. આનો અર્થ એ થયો કે વરુણ હીરોની જેમ આવશે અને તેની કન્યાને લઈ જશે.

વરૂણ અને નતાશા અલીબાગના મેન્શન હાઉસમાં લગ્ન કરી રહ્યા છે. મેન્શન ઘણું મોઘુ છે. તેનો એક દિવસનો ભાડુ લાખોમાં છે. એક અહેવાલ મુજબ, મેન્શનનું એક દિવસનું ભાડુ 4 લાખ રૂપિયા છે. તેનો સૌથી નાનો ઓરડો 375 ચોરસ ફૂટ વિસ્તારમાં બાંધવામાં આવ્યો છે. તે જ સમયે, અહીંના સૌથી મોટો રુમ 450 ચોરસ ફૂટમાં બાંધવામાં આવ્યા છે. હવે તમે વિચારો છો કે જ્યાં એક દિવસનું ભાડુ 4 લાખ છે, તો પછી લગ્ન માટે 5 દિવસ માટે આ મેન્શન બુક કરાવ્યું. તો પછી ડેવિડે માત્ર મેન્શનના ભાડામાં કેટલા પૈસા ખર્ચ્યા હશે.

ઇચ્છતા હતા ડેસ્ટિનેશન વેડિંગ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વરૂણ અને નતાશાને પહેલા ડેસ્ટિનેશન વેડિંગની ઇચ્છા હતી. બંને સિવાય ડેવિડની પણ ઈચ્છે હતી કે લગ્નમાં વધારે શોર શરાબા ન થાય. પરંતુ કોવિડને કારણે ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન રદ કરવામાં આવ્યો હતો અને અલીબાગમાં લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેવિડ ઇચ્છતા હતા કે પુત્રના લગ્નની ગુપ્તતા જળવાઈ રહે અને તેથી જ તેણે સ્થળ પર સ્ટાફના ફોન પર પ્રતિબંધ મૂક્યો છે જેથી લગ્નના ફોટા અને વીડિયો બહાર ન આવે.

ચુસ્ત સુરક્ષા
આટલું જ નહીં, ડેવિડના લગ્ન સ્થળની આસપાસ ચુસ્ત સુરક્ષા ગોઠવાઇ. લગ્નના સુખમય વાતાવરણને કોઈ બગાડે નહીં તે માટે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા.

સનસેટ લગ્ન
વરૂણ અને નતાશાને સૂર્યાસ્ત લગ્નની ઇચ્છા હતી, તેથી બંનેએ સૂર્યાસ્ત સમયે સાત ફેરા લીધા હતા. કોવિડને કારણે વધુ લોકોને લગ્ન માટે આમંત્રિત કરી શકાયા નથી.

Published On - 11:31 pm, Sun, 24 January 21

Next Article