TMKOC: જેઠાલાલે આ શું કરી દીધુ? પોતાના જ પરમમિત્રની નોકરી મુકી દીધી જોખમમાં!

|

Aug 11, 2021 | 8:09 PM

તારક મહેતા પર ફક્ત બોસ જ નહીં પરંતુ અંજલીના ગુસ્સાની તલવાર પણ લટકી છે. જો અંજલીને ખબર પડશે કે તારકે ફરીથી પોતાની બિમારીનું બહાનું કરીને બોસ પાસેથી રજા માંગી છે તો તે પણ નારાજ થઈ શકે છે.

TMKOC: જેઠાલાલે આ શું કરી દીધુ? પોતાના જ પરમમિત્રની નોકરી મુકી દીધી જોખમમાં!
TMKOC

Follow us on

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Tarak Mehta Ka Ooltah Chashmah) જેઠાલાલ (Jethalal) પર વારંવાર સંકટ તો આવતુ જ રહે છે અને તેને બચાવવા હંમેશા આગળ આવે છે તેમના પરમ મિત્ર તારક મહેતા (Tarak Mehta). એટલે જ તેમને જેઠાલાલ ફાયર બ્રિગેડ કહીને બોલાવે છે. પરંતુ આ વખતે શોમાં કઈંક અલગ થવા જઈ રહ્યું છે. આ વખતે મહેતા સાહેબના જીવન પર સંકટ આવવાનું છે અને તેનું કારણ હશે જેઠાલાલ. જી હાં. જેઠાલાલ તેમના પરમમિત્ર માટે મુસીબત સાબિત થવાના છે.આવો જાણીએ કે સમગ્ર મામલો શું છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જેઠાલાલની દુકાનનો સામાન સુરક્ષિત છે આ વાત જાણીને જેઠાલાલ, તારક મહેતા અને સોઢીની ખુશીનો કોઈ ઠેકાણો નથી. આજ ખુશીને સેલિબ્રેટ કરવા તેઓ લંચ કરવાનો પ્લાન બનાવે છે. બધા લંચ પ્લાન તો કરી લે છે, પરંતુ આ લંચ મહેતા સાહેબ માટે મોટી મુસિબત લઈને આવ્યુ છે.

 

 

ખરેખર વાત એમ છે કે તારક મહેતા તો ભૂલી જ ગયા કે તેમણે પોતાની પત્ની અંજલી બિમાર હોવાનું બહાનું કાઢીને ઓફિસથી રજા લીધી છે. તારકને તો અંદાજો પણ નથી કે તેનો બોસ પીછો કરી રહ્યો છે. જ્યારે તમામ લોકો ખાઈ રહ્યા હોય છે, ત્યારે અચાનક જ તારકના બોસ આવીને તેમને પોતાના આગામી ઓર્ડર વિશે સવાલ કરે છે. ત્રણેય ખાવામાં મશ્ગુલ હોય છે તેમને વાતનો કોઈ અંદાજ જ નથી તેવામાં જેઠાલાલ તારક મહેતાના બોસને વેઈટર સમજીને ગુલાબ જાંબુનો ઓર્ડર આપવા લાગે છે.

 

 

પોતાના બોસનો અવાજ સાંભળીને તારક મહેતાના ચહેરાનો રંગ ફિક્કો પડી જાય છે. તેને સમજણ નથી પડી રહી કે તે જેઠાલાલને કઈ રીતે જણાવે કે તે જેને ઓર્ડર આપી રહ્યા છે તે વેઈટર નહીં પણ તેમના બોસ છે. પહેલા જ સમય પર ફાઈલ સબમીટ ન કરવાને લઈને બોસ તારકથી નારાજ છે. હવે જ્યારે તેમને ખબર પડી છે કે અંજલી બિમાર હોવાનું બહાનું બનાવીને તારક પાર્ટી કરી રહ્યા છે તો શું તે મહેતા સાહેબની આ કરતૂતને માફ કરશે?

 

 

તારક મહેતા પર ફક્ત બોસ જ નહીં, પરંતુ અંજલીના ગુસ્સાની તલવાર પણ લટકી છે. જો અંજલીને ખબર પડશે કે તારકે ફરીથી પોતાની બિમારીનું બહાનું કરીને બોસ પાસેથી રજા માંગી છે તો તે પણ નારાજ થઈ શકે છે. શું તારક મહેતા પોતાના બોસને સમગ્ર મામલો સમજાવી શક્શે? એક વાતની ગેરંટી તો છે કે દર્શકોને આ એપિસોડમાં ખૂબ મજા આવશે.

 

 

આ પણ વાંચો – Ahmedabad : દેશ માટે શહીદ થયેલા અમદાવાદના સૈનિકોને મળશે મોટું સન્માન, રિવરફ્રન્ટ પર બનશે શહીદ પાર્ક

 

આ પણ વાંચો – Side Effects Of Almonds: આ પાંચ લોકોએ ક્યારે પણ ન ખાવી જોઈએ બદામ નહીં તો થશે નુક્સાન

Next Article