AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : દેશ માટે શહીદ થયેલા અમદાવાદના સૈનિકોને મળશે મોટું સન્માન, રિવરફ્રન્ટ પર બનશે શહીદ પાર્ક

શહીદ સૈનિકોના 3 પરિવાર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆતના ગણતરીના દિવસોમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે.

Ahmedabad : દેશ માટે શહીદ થયેલા અમદાવાદના સૈનિકોને મળશે મોટું સન્માન, રિવરફ્રન્ટ પર બનશે શહીદ પાર્ક
Ahmedabad Riverfront
Darshal Raval
| Edited By: | Updated on: Aug 11, 2021 | 7:36 PM
Share

અમદાવાદમાં રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) પ્રોજેકટ ફેઝ-2 ની કામગીરી હાલ ચાલી રહી છે, જેમાં શહીદ પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને રક્ષા મંત્રાલય વચ્ચે આ અંગેના MOU થયા છે. કેમ્પ હનુમાન સામે રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળની જગ્યામાં શહીદ પાર્ક બનાવવામાં આવશે.

રિવરફ્રન્ટના Dy.MC ના જણાવ્યા પ્રમાણે જમીન રિકલેમ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જ્યાં શહીદ સ્મારક પાર્ક, સ્પોર્ટ્સ સંકુલ અને આર્મી માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. આ પહેલા શહીદ સૈનિકોના 3 પરિવાર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆતના ગણતરીના દિવસોમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. કેંટોનમેન્ટ બોર્ડ અને AMC ને પત્ર લખી આ મામલે આગળ વધવા આદેશ પણ અપાયા છે.

શહીદ પાર્કની ડિઝાઇન અને સ્વરૂપ અંગે આગામી સમયમાં આખરી નિર્ણય કરાશે. પરંતુ હાલમાં ફેઝ 2 માં શહીદ પાર્ક, સ્પૉર્ટ્સ કોમ્પલેક્ષ અને સોલ્જર રેસ્ટ રૂમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફેઝ-2 માં બને તરફ થઈને 11 કિલોમીટરના પટ્ટામાં વિવિધ પ્રકલ્પો બનાવાશે જેમાં તેનો સમાવેશ થાય છે.

આમ ફેઝ 1 જે હાલમાં કાર્યરત છે, તે 22 કિલો મીટરમાં ફેલાયેલો છે જે બાદ હવે ફેઝ 2 ડફનાળાથી ઈન્દિરા બ્રિજ મળી કુલ 34 કિલો મીટરમાં રિવરફ્રન્ટ તૈયાર થશે. જ્યા શહેરીજનોને રસ્તા સાથે વિવિધ સુવિધાઓ પણ મળી રહેશે.

આ પણ વાંચો : Ahmedabad શહેરમાં વકરેલા રોગચાળાને કાબૂમાં લેવા કોર્પોરેશન તંત્ર એકશનમાં, 30 લાખ દંડ વસુલ્યો

આ પણ વાંચો : Gujaratની મહિલાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુએસએ સુધી બિઝનેસ ડેવલોપ કર્યો

સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
g clip-path="url(#clip0_868_265)">