અમૃતા રાવ અને પતિ RJ અનમોલે તેમના જીવન સાથે જોડાયેલા સંઘર્ષ વિશે કહી આ વાત

|

Apr 23, 2022 | 10:46 AM

ઘણા વર્ષોના પ્રયત્નો પછી, વર્ષ 2020માં, આ સ્ટાર કપલ (RJ Anmol & Amrita Rao) જયારે થાઇલેન્ડમાં રજાઓ પર ગયા હતા, ત્યારે તેમને એ વાતની જાણ થયેલી કે અમૃતા હવે માતા બનવાની છે.

અમૃતા રાવ અને પતિ RJ અનમોલે તેમના જીવન સાથે જોડાયેલા સંઘર્ષ વિશે કહી આ વાત
Amrita Rao & RJ Anmol (File Photo)

Follow us on

અમૃતા રાવ (Amrita Rao) અને આરજે અનમોલ (RJ Anmol) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આજે સૌથી સુંદર કપલમાંથી એક ગણાય છે. આ બંને તાજેતરમાં માતા-પિતા બન્યા છે અને તેમના જીવનના નવા તબક્કામાં પ્રવેશ્યા છે. તેમની પોતાની એક ‘કપલ ઓફ થિંગ્સ’ નામની યુટ્યુબ ચેનલ છે અને તેઓ બંને અવારનવાર તેમની લવ સ્ટોરીની ઝલક દુનિયા સાથે શેયર કરતા રહે છે. તાજેતરમાં આ સ્ટાર કપલ દ્વારા શેયર કરાયેલા નવા વીડિયોમાં (Viral Video) તેઓએ ગર્ભાવસ્થા સાથેના તેમના 4 વર્ષના સંઘર્ષ વિશે વાત કરી છે અને એ પણ જાહેર કર્યું હતું કે તેઓએ સરોગસી, IUI, IVF, હોમિયોપેથી અને આયુર્વેદ સહિત અનેક પ્રયાસો કર્યા હતા.

આ વીડિયોની શરૂઆતમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે તેણી તેના ગાયનેકોલોજિસ્ટના ક્લિનિકમાં જ 3 વર્ષ વિતાવી રહી હતી. જો કે તેને IUI માટે જવાની સલાહ આપવામાં આવી હતી. જો કે, તે આ સ્ટાર કપલ માટે કારગર નીવડ્યું ન હતું.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

સરોગસી દરમિયાન પોતાનું બાળક ગુમાવ્યું હતું

બાદમાં તેણીને સરોગસી પસંદ કરવાનું કહેવામાં આવ્યું. અનમોલે કહ્યું કે “આ અમારા માટે એક મોટો નિર્ણય હતો અને અમે તેના વિશે વિચારી રહ્યા હતા.” અમૃતાએ આગળ કહ્યું કે “સાચું કહું તો હું હા, મારે પ્રેગ્નન્ટ નહીં થવું પડે, શું તે ઠીક છે. અલબત્ત, એવા ઘણા પરિબળો છે જે બાળકને સરોગેટ માતાના ઘણા ગુણો વારસામાં આપે છે અને મૂળ માતા તે બાળકને આપી શકે તેમ નથી.”

અમૃતા-અનમોલનો આ લેટેસ્ટ વીડિયો અહીં જુઓ

 

અનમોલે તે સમયને પણ યાદ કર્યો જ્યારે ડૉક્ટરે તેને ફોન કર્યો હતો અને કહ્યું કે તેમની સરોગેટ માતા ગર્ભવતી છે અને તેણે બાળકના ધબકારા સોનોગ્રાફી દ્વારા અનુભવ્યા છે. થોડા દિવસો પછી તેઓને જાણ કરવામાં આવી કે તેમનું બાળક હવે આ દુનિયામાં આવી શકે તેમ નથી. એ સમયગાળો યાદ કરતાં અનમોલે કહ્યું હતું કે આજે પણ મારું દિલ તૂટે છે. અમૃતાએ કહ્યું ”એક માણસ તરીકે મને નથી લાગતું કે તમારે આટલા લાગણીશીલ બનવાની જરૂર છે. તે વસ્તુ આપણા હાથમાં નથી.” પાછળથી સ્ટાર કપલે ખુલાસો કર્યો કે તેમને IVF પસંદ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ તેમના માટે કામ ન કરી શક્યું હતું.

પુત્ર વીરનો જન્મ 2020માં થયો હતો

આ વીડિયોમાં બંનેએ યાદ કર્યું કે તેમને આયુર્વેદિક ડૉક્ટરની મુલાકાત લેવાનું પણ સૂચવવામાં આવ્યું હતું અને તેઓએ પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે અમૃતાએ કહ્યું કે આયુર્વેદિક દવાઓ તેણીને માફક ના આવી અને તેણીને સ્કીન ઈન્ફેકશન થઈ ગયું હતું. ઘણા વર્ષોના પ્રયત્નો પછી 01/11/2020ના રોજ આ સ્ટાર કપલે તેમના પુત્ર વીરનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો – ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન 8 વર્ષ પછી સ્ક્રીન શેર કરશે, ચાહકોમાં જોવા મળ્યો છે ભરપૂર ઉત્સાહ

Published On - 7:05 am, Sat, 23 April 22

Next Article