અમૃતા રાવ (Amrita Rao) અને આરજે અનમોલ (RJ Anmol) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આજે સૌથી સુંદર કપલમાંથી એક ગણાય છે. આ બંને તાજેતરમાં માતા-પિતા બન્યા છે અને તેમના જીવનના નવા તબક્કામાં પ્રવેશ્યા છે. તેમની પોતાની એક ‘કપલ ઓફ થિંગ્સ’ નામની યુટ્યુબ ચેનલ છે અને તેઓ બંને અવારનવાર તેમની લવ સ્ટોરીની ઝલક દુનિયા સાથે શેયર કરતા રહે છે. તાજેતરમાં આ સ્ટાર કપલ દ્વારા શેયર કરાયેલા નવા વીડિયોમાં (Viral Video) તેઓએ ગર્ભાવસ્થા સાથેના તેમના 4 વર્ષના સંઘર્ષ વિશે વાત કરી છે અને એ પણ જાહેર કર્યું હતું કે તેઓએ સરોગસી, IUI, IVF, હોમિયોપેથી અને આયુર્વેદ સહિત અનેક પ્રયાસો કર્યા હતા.
આ વીડિયોની શરૂઆતમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે તેણી તેના ગાયનેકોલોજિસ્ટના ક્લિનિકમાં જ 3 વર્ષ વિતાવી રહી હતી. જો કે તેને IUI માટે જવાની સલાહ આપવામાં આવી હતી. જો કે, તે આ સ્ટાર કપલ માટે કારગર નીવડ્યું ન હતું.
બાદમાં તેણીને સરોગસી પસંદ કરવાનું કહેવામાં આવ્યું. અનમોલે કહ્યું કે “આ અમારા માટે એક મોટો નિર્ણય હતો અને અમે તેના વિશે વિચારી રહ્યા હતા.” અમૃતાએ આગળ કહ્યું કે “સાચું કહું તો હું હા, મારે પ્રેગ્નન્ટ નહીં થવું પડે, શું તે ઠીક છે. અલબત્ત, એવા ઘણા પરિબળો છે જે બાળકને સરોગેટ માતાના ઘણા ગુણો વારસામાં આપે છે અને મૂળ માતા તે બાળકને આપી શકે તેમ નથી.”
અનમોલે તે સમયને પણ યાદ કર્યો જ્યારે ડૉક્ટરે તેને ફોન કર્યો હતો અને કહ્યું કે તેમની સરોગેટ માતા ગર્ભવતી છે અને તેણે બાળકના ધબકારા સોનોગ્રાફી દ્વારા અનુભવ્યા છે. થોડા દિવસો પછી તેઓને જાણ કરવામાં આવી કે તેમનું બાળક હવે આ દુનિયામાં આવી શકે તેમ નથી. એ સમયગાળો યાદ કરતાં અનમોલે કહ્યું હતું કે આજે પણ મારું દિલ તૂટે છે. અમૃતાએ કહ્યું ”એક માણસ તરીકે મને નથી લાગતું કે તમારે આટલા લાગણીશીલ બનવાની જરૂર છે. તે વસ્તુ આપણા હાથમાં નથી.” પાછળથી સ્ટાર કપલે ખુલાસો કર્યો કે તેમને IVF પસંદ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ તેમના માટે કામ ન કરી શક્યું હતું.
આ વીડિયોમાં બંનેએ યાદ કર્યું કે તેમને આયુર્વેદિક ડૉક્ટરની મુલાકાત લેવાનું પણ સૂચવવામાં આવ્યું હતું અને તેઓએ પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે અમૃતાએ કહ્યું કે આયુર્વેદિક દવાઓ તેણીને માફક ના આવી અને તેણીને સ્કીન ઈન્ફેકશન થઈ ગયું હતું. ઘણા વર્ષોના પ્રયત્નો પછી 01/11/2020ના રોજ આ સ્ટાર કપલે તેમના પુત્ર વીરનું સ્વાગત કર્યું હતું.
Published On - 7:05 am, Sat, 23 April 22