લોકડાઉન વચ્ચે સ્મૃતિ ઈરાનીની તસ્વીર આવી સામે, બોડી ટ્રાન્સફોર્મેશન જોઇને ફેન્સ બોલ્યા “અસંભવ”

અભિનેતા મનીષ પોલ (Maniesh Paul) તાજેતરમાં સ્મૃતિ ઈરાનીને મળવા પહોંચ્યા હતા. મનીષે આ મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

લોકડાઉન વચ્ચે સ્મૃતિ ઈરાનીની તસ્વીર આવી સામે, બોડી ટ્રાન્સફોર્મેશન જોઇને ફેન્સ બોલ્યા અસંભવ
સ્મૃતિ ઈરાની અને મનીષ પોલ
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 12:20 PM

કોરોનાની મહામારીના કારણે ઘણા લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. જી હા ઘણા લોકોને ઘરેથી કામ કરતા કરતા વજનમાં વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં ઘરે રહીને ઘણી શારીરિક સમસ્યા પણ શરુ થઇ છે. પરંતુ આ વચ્ચે રાજનેતા અને પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાનીની (Smriti Irani) બિલકુલ અલગ તસ્વીર સામે આવી છે.

વાત જાણે એમ છે કે અભિનેતા મનીષ પોલ (Maniesh Paul) તાજેતરમાં સ્મૃતિ ઈરાનીને મળવા પહોંચ્યા હતા. મનીષે આ મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. સાથે મનીષે તેમની મુલાકાત વિશેની કેટલીક વાતો પણ શેર કરી હતી. મનીષે જણાવ્યું કે સ્મૃતિ ઈરાનીએ તેમને ચાની જગ્યાએ ઉકાળો પીવડાવ્યો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોતાના સોશિયલ મીડિયા પર મનીષ પોલે સ્મૃતિ ઈરાની સાથે વાતચીત સમયની તસ્વીર શેર કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું હતું કે “એક ગ્લાસ ઉકાળો પીવડાવા માટે સ્મૃતિ ઈરાની મેડમનો આભાર. શું સમય આવી ગયો છે. ચાની જગ્યાએ સૌ ઉકાળો પીવા લાગ્યા છે!! પરંતુ મને આમંત્રિત કરવા માટે ધન્યવાદ. PS- માત્ર ફોટો લેવા માટે માસ્ક કાઢ્યું છે. સૌને પ્રેમ..”

સૌથી લોકપ્રિય ટીવીના ચહેરામાં એક નામ છે મનીષ પોલ. તેમજ ટીવીના પાત્ર ‘તુલસી’ થી સ્મૃતિ ઈરાનીને નવી ઓળખાણ મળી. જેઓ હાલમાં કાપડ પ્રધાન અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન તરીકે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય છે.

દરેક વ્યક્તિ જાણે છે કે સ્મૃતિ ઈરાની ટીવી જગતનો એક પ્રખ્યાત ચહેરો છે. તેમણે ઘણા વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કર્યું છે. સ્મૃતિ ઘણી વાર તેમના પ્રખ્યાત ટીવી શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ દરમિયાનના તેમના લુકની તસવીરો શેર કરતા રહે છે. આ તસ્વીરોમાં તેઓ ખુબ ફીટ જોવા મળે છે. એટલું જ નહીં તેઓ વજન વધવા વિશે પણ મિમ્સ શેર કરતા રહે છે.

View this post on Instagram

A post shared by Maniesh Paul (@manieshpaul)

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2019 માં સ્મૃતિ ઈરાનીએ તેમના ટીવીના સમયની એક તસવીર અને સાંપ્રત સમયની તસવીર શેર કરતી વખતે લખ્યું હતું, ‘ક્યા સે ક્યા હો ગયે દેખતે દેખતે. જ્યારે તમારું વજન વધતું જાય’. સ્મૃતિ ખુલ્લેઆમ પોતાના જ વધેલા વજનની મજાક ઉડાવતા હોય છે. અને તે જ રમૂજી મિમ્સ પણ શેર કરતા હોય છે. આ અંગે યુઝર્સ પણ ખૂબ જ પ્રતિક્રિયાઓ આપે છે.

પરંતુ મનીષના સોશિયલ મીડિયામાં સ્મૃતિ ઈરાનીનો નવો લૂક જોઇને લોકો આશ્ચર્યચક્કિત થઇ ગયા છે. લોકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે સ્મૃતિએ પોતાનું વજન ઉતારી દીધું છે. તેઓ પહેલા જેવા જ ફીટ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Anti-Covid drug 2-DG: નવા સંશોધનમાં દાવો, DRDO ની આ દવા કોરોનાના તમામ વેરિએન્ટ પર અસરકારક

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">