Bigg Boss 16 Promo : સંકટમાં ફસાઈ પ્રિયંકા, 25 લાખ કે અંકિત ગુપ્તા, અભિનેત્રી કોને પસંદ કરશે?

|

Dec 21, 2022 | 12:30 PM

બિગ બોસ (Bigg Boss ) ફરી એકવાર ઘરના સભ્યોને 25 લાખની ઈનામી રકમ પરત મેળવવાની તક આપશે. પરંતુ આ વખતે પ્રિયંકા ચૌધરીને આ તક મળવાની છે.

Bigg Boss 16 Promo : સંકટમાં ફસાઈ પ્રિયંકા, 25 લાખ કે અંકિત ગુપ્તા, અભિનેત્રી કોને પસંદ કરશે?
સંકટમાં ફસાય પ્રિયંકા, 25 લાખ કે અંકિત ગુપ્તા
Image Credit source: Twitter

Follow us on

બિગ બોસ હંમેશા સ્પર્ધકોની મિત્રતા અને સંબંધોની કસોટી લે છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી બિગ બોસમાં અનેક સંબંધોની પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં શાલીન અને ટીનાની મિત્રતા તો સંપુર્ણ રીતે ફેલ જોવા મળી હતી. તો શિવ ઠાકરે પોતાની મિત્રતા માટે અડગ જોવા મળ્યો હતો. હવે આ લિસ્ટમાં બિગ બોસે પ્રિયંકા ચોધરીને સામેલ કરી છે. મેકર્સ એક પ્રોમો શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, બિગ બોસ પ્રિયંકાને ધર્મસંકટમાં ફસાવતા જોવા મળી રહ્યા છે.

શેર કરેલા નવા પ્રોમોમાં જોઈ શકાય છે કે, બિગ બોસે પ્રિયકાને કન્ફેકશન રુમમાં બોલાવે છે. જ્યાં તેનો સામનો 25 લાખ રુપિયા એટલે કે, પ્રાઈઝ મની પરત લેવા માટે એક ત્તક આપશે. પરંતુ આ પ્રાઈઝ મનીની સામે જે કિંમત બિગ બોસે પ્રિયંકા સામે માંગી છે તે ખુબ મોટી છે. તે આખા ઘરમાં પ્રિયંકા માટે એક સહારો રહ્યો છે. તમામ પ્રિયંકા અને અંકિતને ટારગેટ કરતા જોવા મળી રહ્યા છે.

અંકિત ગુપ્તાને ઘરથી બેઘર થવું પડશે

આ વચ્ચે પ્રિયંકાને બિગ બોસ કહે છે કે, તે 25 લાખની પ્રાઈઝ મની પરત મેળવી શકે છે પરંતુ તેના બદલામાં અંકિત ગુપ્તાને ઘરથી બેઘર થવું પડશે. બિગ બોસની આ વાત સાંભળી પ્રિયંકા ચુપ થઈ જાય છે. તેને કાંઈ સમજમાં આવતુ નથી. ત્યારે બિગ બોસ પોતાની ગણતરી શરુ કરી દે છે. ત્યારે હવે સૌ કોઈની નજર આ વાત પર છે કે, પ્રિયંકાનો નિર્ણય શું હશે. પ્રિયંકાના ચાહકોને લાગે છે કે, તે પ્રાઈઝ મની માટે ના પાડી દેશે અને અંકિત ગુપ્તાને પસંદ કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પરંતુ આ ઘરમાં ક્યારે શું થશે તે કોઈ કહી શકતું નથી. જ્યારે આ પહેલા દરેકને 25 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં જો પ્રિયંકા અંકિતને પસંદ કરે છે તો તેમાં કંઈ ખોટું નથી. કારણ કે, સુમ્બુલને પણ બે વખત 25 લાખનું નુકસાન થયું છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, જો પ્રિયંકા અંકિતને પસંદ કરશે તો તેને ફરીથી પરિવારના સભ્યોની ચર્ચાનો સામનો કરવો પડશે. જોકે તેમના માટે આ કોઈ નવી વાત નથી. પ્રિયંકા અને અંકિત જે દિવસે ઘરમાં પ્રવેશ્યા ત્યારથી બંને પરિવારના સભ્યો નિશાના પર છે.

Next Article