Divya bhartiના મોતનું કારણ હજુ સુધી છે અકબંધ, લાડલાના શૂટિંગ સમય બનેલી ઘટનાથી ભયભીત થઇ હતી શ્રીદેવી

|

Apr 05, 2021 | 1:00 PM

દિવંગત એક્ટ્રેસ દિવ્યા ભારતીની(Divya bharti)  5 એપ્રિલે પુણ્યતિથિ છે. જ્યારે દિવ્યાએ બોલિવૂડમાં પગ રાખ્યો ત્યારે તેની એક્ટિંગ જ નહીં પરંતુ તેના પ્રેમ અને સુંદર ચહેરાએ પણ પણ દર્શકોના દિલ જીતી લીધા હતા.

Divya bhartiના મોતનું કારણ હજુ સુધી છે અકબંધ, લાડલાના શૂટિંગ સમય બનેલી ઘટનાથી ભયભીત થઇ હતી શ્રીદેવી
દિવ્યા ભારતી

Follow us on

દિવંગત એક્ટ્રેસ દિવ્યા ભારતીની(Divya bharti)  5 એપ્રિલે પુણ્યતિથિ છે. જ્યારે દિવ્યાએ બોલિવૂડમાં પગ રાખ્યો ત્યારે તેની એક્ટિંગ જ નહીં પરંતુ તેના પ્રેમ અને સુંદર ચહેરાએ પણ પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. નાની ઉંમરે દિવ્યાએ ઘણી સફળતા મેળવી હતી, પરંતુ તે શું જાણતી હતી કે તે આ સફળતાનો આનંદ લાંબો સમય સુધી માણી શકશે નહીં. જણાવી દઈએ કે દિવ્યના મોતથી આખું બોલિવૂડ ચોંકી ગયું હતું. આજદિન સુધી દિવ્યાના મોતનું કારણ જાણી શકાયું નથી.

દિવ્યાએ 92 ફિલ્મો સાઇન કરી હતી અને નિર્માતાઓ આ બધી ફિલ્મો માટે દિવ્યાનું રિપ્લેસમેન્ટ ઇચ્છતા હતા. તેમાંથી એક ફિલ્મ લાડલા હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને રવિના ટંડન હતા. આ ફિલ્મના ઘણા દ્રશ્યો દિવ્યા ભારતીએ શૂટ કરી લીધા હતા, પરંતુ અભિનેત્રીના અવસાન બાદ શ્રીદેવીએ તેનું સ્થાન લીધું હતું. ત્યારબાદ શ્રીદેવીએ આ દ્રશ્યો શૂટ કર્યા હતા જેનું પહેલા દિવ્યા સાથે શૂટિંગ કરવામાં આવ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે 6 મહિના પછી જ્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે સેટ પર કેટલાક વિચિત્ર અકસ્માત થયા હતા. અહેવાલો અનુસાર શ્રીદેવી શક્તિ કપૂર અને રવિના ટંડન સાથે એક સીનનું શૂટિંગ કરી રહી હતી. તે સમયે શ્રીદેવી તે જ સ્થળે અટવાઇ હતી જ્યાં દિવ્યા અટવાઈ જતી હતી. આ બધું જોઈને રવિના અને શક્તિ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

જણાવી દઈએ કે દિવ્યાએ પોતાની કરિયરની શરૂઆત ફિલ્મ વિશ્વત્વમાથી કરી હતી. તે સમયે એવું કહેવાતું હતું કે દિવ્યા શ્રીદેવીની જગ્યા લઈ શકે છે, પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજુર હતું. આકસ્મિક રીતે દિવ્યા ભારતીની જેમ જ શ્રીદેવીનું મોત પણ ઘણું શોકિંગ હતું. શ્રીદેવી દુબઈની એક હોટલ બાથટબમાં મૃત હાલતમાં મળી આવી હતી.

લાડલા સિવાય દિવ્યાએ મોહરા અને વિજયપથ ફિલ્મો પણ સાઇન કરી હતી, પરંતુ તે પણ પૂર્ણ કરી શકી નહીં. તમને જણાવી દઈએ કે 5 એપ્રિલ 1993ની મોડી રાત્રે ભારતી તેના ઘરની બાલ્કનીમાંથી પડી હતી. તે સમયે તે અંધેરીના તુલસી એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતી હતી.

દિવ્યા અને સાજીદ નડિયાદવાલાનું મુલાકાત ગોવિંદાએ કરાવી હતી જ્યારે બંને શોલા અને શબનમ માટે શૂટિંગ કરી રહ્યા હતા. બંનેએ 10 મે 1992 ના રોજ લગ્ન કર્યા. બંનેના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો વચ્ચે થયાં હતાં. જ્યારે દિવ્યાનું નિધન થયું ત્યારે બંનેનાં લગ્નને 1 વર્ષ થયાં હતાં.

Next Article