લોકડાઉનના મસીહા સોનુ સૂદ કોરોના પોઝિટિવ, તેમ છતાં આ વાતની વ્યક્ત કરી ખુશી
સોનુ સૂદનો તાજેતરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી સોનુએ ટ્વિટ કરીને આપી હતી. સાથે સોનુએ એક વાતની ખુશી પણ વ્યક્ત કરી હતી.
કોરોના કાળમાં જરૂરીયાતમંદો અને મજુર વર્ગને ખુબ મદદ કરનારા સોનુ સૂદ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના બોલીવુડમાં આતંક મચાવી રહ્યો છે ત્યારે એક પછી એક કલાકારો કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. આવામાં મસીહા તરીકે નામના મેળવનાર સોનુ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સોનુએ આ વાતની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. સોનુએ જણાવ્યું કે કે તેણે બધી સાવચેતી રાખીને, પોતાને અલગ કરી દીધો છે.
કોરોનાની આ બીમારી લાગ્યા બાદ પણ જોરદાર દિલદારી બાતાવી છે સોનુએ. સોનુએ જણાવ્યું કે આ સમયે મેં પોતાની જાતને અલગ કરી દીધી છે. કોઈ ચિંતાની વાત નથી. કેમ કે હવે મારી પાસે લોકોની મદદ કરવા માટે વધુ સમય હશે. આવી સ્થિતિમાં પણ સોનુએ લખ્યું છે કે “યાદ રહે દરેક તકલીફમાં હું તમારી સાથે છું.”
— sonu sood (@SonuSood) April 17, 2021
તાજેતરમાં જ લીધી હતી વેક્સિન
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સોનુ એ કોરોનાની વેક્સિન લીધી હતી. સોનુએ વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો. સોનુએ 7 એપ્રિલના રોજ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. વેક્સિન લઈને સોનુએ પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.
સોનુ સૂદે કહ્યું એ સમયે કે, “આજે મેં રસીનો ડોઝ લીધો હતો અને હવે એવો સમય આવ્યો છે કે આખો દેશ પણ કોરોનાની વેક્સિનનો ડોઝ લે છે. સૌથી મોટા રસીકરણ અભિયાન ‘સંજીવની’ની શરૂઆતથી દેશભરમાં જાગૃતતા વધશે અને લોકો વેક્સિન લેવા માટે આગળ આવશે.”
ત્યાર બાદ આજે સોનુએ માહિતી આપી હતી કે તેઓ કોરોના પોઝિટિવ છે. જેને લઈને તેઓ કાળજી લઇ રહ્યા છે. પરંતુ સાથે સાથે એ વાતની ખુશી પણ વ્યક્ત કરી હતી કે હવે સોનુને લોકોને મદદ કરવા માટે વધુ સમય મળશે. કોરોનાના આ સમયમાં તેઓ વધુ લોકોનો સંપર્ક અને મદદ કરે તેવી સંભાવના દર્શાવવામાં આવી હતી. આ સાથે જ સોનુના ચાહકોએ તેમના સારા સ્વાસ્થ્ય માટે મનોકામના કરી હતી. સોશિયલ મીડિયા પર સૌ કોઈ તેમની રિકવરીની શુભેચ્છા અને પ્રાર્થના કરી રહ્યું છે.
આ પણ વાંચો: ટ્રોલર મહિલાએ કહ્યું “પિતાના પૈસા બરબાદ કરી રહી છે”, સારા તેંડુલકરે આપ્યો જડબાતોડ જવાબ