દિવાળી પછી પુત્ર આર્યનને ‘મન્નત’થી દૂર લઈ જશે Shah Rukh Khan, જાણો શા માટે

|

Oct 31, 2021 | 11:41 PM

શાહરૂખ ખાન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ પરેશાન હતા કારણ કે તેમનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસમાં પકડાયો હતો અને લાંબા સમયથી જેલમાં હતો. જોકે, હવે આર્યન ઘરે આવી ગયો છે અને આખો પરિવાર તેની ખુશી મનાવી રહ્યો છે.

દિવાળી પછી પુત્ર આર્યનને મન્નતથી દૂર લઈ જશે Shah Rukh Khan, જાણો શા માટે
Aryan Khan, Gauri Khan, Shah Rukh Khan

Follow us on

શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના ઘરમાં ખુશીનો માહોલ છે કારણ કે આર્યન (Aryan Khan) ઘરે પરત ફર્યો છે. ડ્રગ્સના કેસમાં ઘણા દિવસો સુધી જેલમાં રહ્યા બાદ આર્યન શનિવારે ઘરે આવ્યો છે. આર્યનને આવકારવા માટે મન્નત (Mannat)ને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે શાહરુખ અને ગૌરી ખાને (Gauri Khan) તેમના નજીકના લોકોને કહ્યું હતું કે જ્યાં સુધી આર્યન ઘરે ન આવે ત્યાં સુધી કોઈ તેમને મળવા ન આવે.

 

જો કે હવે તેઓએ દરેક માટે તેમના દરવાજા ખોલી દીધા છે કારણ કે હવે મન્નતમાં ઉજવણીનો સમય છે. આ સાથે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ અને ગૌરી આર્યનને સુરક્ષિત રાખવા અને મીડિયાથી દૂર રાખવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાક અઠવાડિયા આર્યન માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આર્યનને શરતી જામીન મળી ગયા છે એટલે કે આર્યનને પરવાનગી વગર મુંબઈની બહાર જવાની મંજૂરી નથી. તેણે પોતાનો પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટમાં જમા કરાવવો પડશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

મન્નતમાંથી શિફ્ટ કરશે આર્યનને

જો કે હવે જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ આર્યન દિવાળી પછી મન્નતમાંથી શિફ્ટ થઈ જશે. એક રિપોર્ટ અનુસાર આર્યન અલીબાગના ફાર્મહાઉસમાં રોકાશે. તમને જણાવી દઈએ કે શાહરૂખનું અલીબાગમાં મોટું ફાર્મહાઉસ છે જ્યાં તે કામમાંથી બ્રેક લીધા બાદ ઘણીવાર સમય પસાર કરે છે. હવે આર્યન ત્યાં જઈને મનને થોડું શાંત કરશે. શાહરૂખ ઈચ્છે છે કે આર્યન થોડા દિવસ ત્યાં રહીને પોતાને મજબૂત બનાવે.

 

બીજી તરફ શાહરુખ, જે લાંબા સમયથી તેમના પુત્રની ચિંતામાં હતા અને તેમના કામ પર ધ્યાન આપી શકતા ન હતા, તે પણ ડિસેમ્બરમાં કામ પર પાછા ફરશે. શાહરૂખ પાસે પઠાણ (Pathan) અને દિગ્દર્શક એટલીની ફિલ્મો છે જે તેમણે પૂરી કરવાની છે.

 

સુહાના પણ તેના ભાઈને મળવા દુબઈથી મુંબઈ આવી રહી છે. તે પરિવાર સાથે દિવાળી ઉજવવા જઈ રહી છે. દિવાળી પછી આખો પરિવાર આર્યન સાથે થોડા દિવસ અલીબાગમાં રહેશે. શાહરૂખ તેમના કામની પ્રતિબદ્ધતાઓને કારણે ત્યાંથી નિકળી જશે, પરંતુ ગૌરી, અબરામ અને સુહાના આર્યન સાથે રહેશે.

 

સિદ્ધિવિનાયક મંદિર પણ જશે શાહરૂખ-ગૌરી

જો અહેવાલોનું માનીએ તો શાહરૂખ અને ગૌરી આર્યનની મુક્તિ બદલ ભગવાનનો આભાર માનવા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેશે. કદાચ આર્યન ખાન પણ આ બંને સાથે રહે. તમને જણાવી દઈએ કે આર્યન 26 દિવસ જેલમાં હતો.

 

 

આ પણ વાંચો:- અભિનેત્રી Urmila Matondkar થઈ કોરોના પોઝિટિવ, ઘરમાં આઈસોલેટ હોવાની જાણકારી ટ્વીટ કરી આપી

 

આ પણ વાંચો:- Mira Rajput તેના ડ્રેસને લઈને સંઘર્ષ કરી રહી હતી અને શાહિદ કપૂરે છુપાઈને બનાવ્યો વીડિયો, જુઓ આ વીડિયો

Next Article