Ranbir Kapoorની બહેન રિદ્ધિમાએ માતા નીતુ વિશે કહ્યું – તે પોતાની વહુને પ્રેમથી બગાડી દેશે, શું આલિયા ભટ્ટ માટે છે આ સંદેશ?

|

Jul 11, 2021 | 7:52 PM

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor)ના લગ્ન કર્યા પહેલા જ રિદ્ધિમા કપૂરે તેમની માતા નીતુ સિંહ વિશે કંઇક એવું કહ્યું, એ જાણીને આલિયા પણ ખુશ થશે.

Ranbir Kapoorની બહેન રિદ્ધિમાએ માતા નીતુ વિશે કહ્યું - તે પોતાની વહુને પ્રેમથી બગાડી દેશે, શું આલિયા ભટ્ટ માટે છે આ સંદેશ?
Ranbir Kapoor, Alia Bhatt, Neetu Singh, Riddhima Kapoor

Follow us on

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. શરૂઆતમાં બંને એકબીજા વિશે વાત કરવાનું ટાળતા હતા, પરંતુ હવે બંને ખુલ્લેઆમ એકબીજા સાથે ફરવા લાગ્યા છે અને એકબીજાના પરિવારની નજીક પણ આવી રહ્યા છે. તાજેતરમાં જ નીતુ કપૂરના જન્મદિવસ પર આલિયા પણ તેમના પરિવાર સાથે ત્યાં પહોંચી હતી. બધાએ સાથે મળીને ઉજવણી કરી.

 

આટલું જ નહીં, જ્યારે ઋષિ કપૂરનું અવસાન થયું ત્યારે આલિયાએ આ મુશ્કેલ સમયમાં નીતુ, રણબીર અને સમગ્ર કપૂર પરિવારની સંભાળ લીધી હતી. આલિયા રણબીરની બહેન રિદ્ધિમા કપૂરની પણ નજીક છે. તે તેમની સાથે પણ સમય વિતાવે છે. હવે તાજેતરમાં રણબીરની બહેન રિદ્ધિમા કપૂરે કહ્યું હતું કે તેમની માતા નીતુ કેવી રીતે સાસુ બનશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

એક ઈન્ટરવ્યુમાં વાત કરતા રિદ્ધિમાએ કહ્યું કે તેમની માતા તેમની પુત્રવધૂને રાણીની જેમ રાખશે. રિદ્ધિમાએ કહ્યું, ‘માતા એક સરસ સાસુ બનશે. ખૂબ જ ચિલ રહેશે. તે તેમની વહુને બધું આપશે. તે વધારે દખલ કરતી નથી. તેથી તે તેને તેની સ્પેસ આપશે. રિદ્ધિમાએ વધુમાં કહ્યું કે, ‘તે તેમની પુત્રવધૂને ખૂબ જ પ્રેમ આપીને બગાડી દેશે. ટૂંકમાં તે પોતાની વહુને રાણી બનાવીને રાખશે.

 

રિદ્ધિમાનું આ નિવેદન વાંચીને હવે આલિયા ખુશ થશે કારણ કે આલિયા પુત્રવધૂ બનવાની તૈયારી કરી રહી છે. ઘણી વખત આલિયા અને રણબીરના લગ્નના સમાચારો આવતા રહે છે. તે જ સમયે, થોડા દિવસો પહેલા રણબીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો કોવિડ ન હોત તો તેમના લગ્ન થઈ ગયા હોત.

 

થઈ જાત 2020માં લગ્ન

એક ઈન્ટરવ્યુમાં જ્યારે રણબીરને લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે કોવિડને કારણે ઘણી વસ્તુઓ પ્લાનિંગ પ્રમાણે ન થઈ, હોય શકે છે 2021 અમારા માટે સારું રહે.

 

‘બ્રહ્માસ્ત્ર’માં દેખાશે

રણબીર અને આલિયા બ્રહ્માસ્ત્ર (Brahmāstra) ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમના સંબંધોના સમાચાર આવવા લાગ્યા હતા. આ ફિલ્મમાં આલિયા અને રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને મૌની રોય (Mouni Roy) મુખ્ય ભૂમિકામાં છે. અગાઉ આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને કારણે રદ થઈ ગઈ. ફિલ્મની નવી રિલીઝ તારીખ વિશે હજી સુધી કોઈ માહિતી નથી.

 

આ પણ વાંચો: Video: પતિના અવસાન પછી પ્રથમ વખત માતા સાથે વોક કરતા જોવા મળ્યા મંદિરા બેદી

Next Article