Ram Gopal Varmaએ ‘Thalaivi’નું ટ્રેલર જોઈને Kangana Ranautની માગી માફી, કહ્યું ‘હું તમને સલામ કરું છું’

|

Mar 25, 2021 | 4:08 PM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેમને ચોથી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે, બીજી તરફ તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'થલાઈવી' (Thalavi)નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું હતું.

Ram Gopal Varmaએ Thalaiviનું ટ્રેલર જોઈને Kangana Ranautની માગી માફી, કહ્યું હું તમને સલામ કરું છું
Ram Gopal Verma

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેમને ચોથી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે, બીજી તરફ તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘થલાઈવી’ (Thalavi)નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલર જોઈને લોકો સોશ્યલ મીડિયા પર તેમના કામના વખાણ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી રામગોપાલ વર્માએ માત્ર કંગનાની પ્રશંસા જ કરી નહીં, પરંતુ તેમની માફી માંગી હતી અને કહ્યું હતું કે વિશ્વમાં આવી કોઈ બહુમુખી અભિનેત્રી નથી.

 

ફિલ્મ ઉદ્યોગના જાણીતા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ તાજેતરમાં જ ટ્વીટ કરીને લખ્યું છે- રામગોપાલ વર્માએ ટ્વીટ કર્યું હતું કે, ‘કંગના… હું તમારી સાથે કેટલીક બાબતો અને કેટલીક અતિશયોક્તિ અંગે અસંમત થઈ શકું છું પણ હું તમને સલામ કરું છું. સુપર ડુપર થલાઈવી માટે ફિલ્મનું ટ્રેલર લાજવાબ છે અને હું કહી શકું છું કે સ્વર્ગમાં જયલલિતા પણ આને જોઈને રોમાંચિત થશે.’

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

 

 

‘કંગના જે પણ મક્કમ અભિપ્રાય રાખે છે, તેના પર સખત પ્રતિક્રિયાઓ આવે છે. હું કબૂલ કરવા માંગુ છું કે મને લાગ્યું હતું કે તમે અતિશયોક્તિ કરીને બોલી દીધુ હતું કે જ્યારે તમે તમારી જાતને હોલીવુડની મહાન હસ્તીઓ સાથે સરખાવી હતી. પરંતુ હવે હું માફી માંગુ છું અને 100 ટકા સહમત છું કે આ દુનિયામાં તમારા જેવી કોઈ બહુમુખી અભિનેત્રી નથી.’

 

 

 

 

રામ ગોપાલ વર્માની વાત પર કંગનાએ લખ્યું, ‘સર!… હું તમારી સાથે સંમત છું.. હું તમને ખૂબ જ પસંદ કરું છું અને હું હંમેશાં તમારી ખૂબ પ્રશંસા કરું છું. અહમથી ભરેલી આ મૃત દુનિયામાં જ્યાં લોકોનો ઈગો અને પ્રાઈડને ખૂબ જ ઝડપથી ઈજા થઈ જાય છે. ત્યાં જ તમે કંઈપણ વાતને એટલી ગંભીરતાથી નથી લેતા. ત્યાં સુધી કે તમે પોતાને ગંભીરતાથી લેતા નથી. હું તમારી આ ગુણવત્તાની કદર કરું છું. મારી પ્રશંસા કરવા બદલ આભાર’.

 

આ પણ વાંચો : ‘Gangubai Kathiawadi’ને લઈ Alia Bhatt અને Sanjay Leela Bhansaliની વધી સમસ્યાઓ, કોર્ટે જારી કર્યું સમન્સ

 

આ પણ વાંચો : Farooq Sheikh: ફારૂક શેખને તેની પહેલી ફિલ્મ માટે મળ્યા હતા આટલા રૂપિયા, ચૂકવવા માટે ડિરેક્ટરે લીધા 20 વર્ષ

 

Next Article