પંજાબ હંમેશા ભારતનો હિસ્સો છે અને રહેશે : કંગના રનૌત

|

May 13, 2022 | 10:08 PM

કંગના રનૌત (Kangana Ranaut) ટૂંક સમયમાં ફિલ્મ 'ધાકડ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ પણ એકદમ અલગ અવતારમાં જોવા મળશે.

પંજાબ હંમેશા ભારતનો હિસ્સો છે અને રહેશે : કંગના રનૌત
Kangana accused Uddhav Thackeray of being crushed in the arrogance of power
Image Credit source: Instagram

Follow us on

ચંદીગઢમાં ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર પર હુમલાના પરિણામે પંજાબમાં (Punjab) વધી રહેલા તણાવ વચ્ચે, કંગના રનૌતે (Kangana Ranaut) ‘અખંડ ભારત’ના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાજ્યમાં તેની આગામી ફિલ્મ ‘ધાકડ’ (Dhaakad) માટે પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન, જ્યાં તે એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે, અભિનેત્રીએ તેના અલગ દેશની માંગ કરતી તાકતો  અને ભારતથી અલગ થવા વિશે વાત કરી. કંઈપણ બોલ્યા વિના 35 વર્ષીય અભિનેત્રીએ આવા હંગામાની નિંદા કરી અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના  ભંડોળ પ્રાપ્ત  આતંકવાદીઓ ગણાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યોના સામાન્ય લોકોના આવા કૃત્યનું સમર્થન કરતા નથી.

પંજાબ ભારતનો હિસ્સો છે અને હંમેશા રહેશે

ANIના અહેવાલ મુજબ, કંગના રનૌતે પંજાબની વર્તમાન સ્થિતિ વિશે વાત કરતા કહ્યું, “પંજાબ ભારતનો હિસ્સો છે અને હંમેશા રહેશે. કોઈ તેને અલગ કરી શકશે નહીં.” તેમણે એમ પણ કહ્યું કે એકીકૃત ભારત પાસે અપાર શક્તિ છે અને કોઈપણ રાજ્યના લોકોના  ઈચ્છે  તે  પછી  પંજાબ, તમિલનાડુ કે હિમાચલ પ્રદેશ ના હોય, તેમનો  માંગણી કરવાનો અર્થ એ નથી કે તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે.

કંગના રનૌતે  જણાવ્યું કે   “કોઈ વ્યક્તિ તેના શરીરનો એક ભાગ કાપી શકતો નથી. પંજાબ હોય, તમિલનાડુ હોય કે હિમાચલ પ્રદેશ, શરીરના કોઈ અંગને કાપી ન શકાય. આ ઉપરાંત, કંગના રનૌતે દેશમાં થઈ રહેલા ગુનાઓ અને અત્યાચારો પર ભાર મૂક્યો અને કહ્યું કે ‘જેહાદ, હત્યા, બળાત્કાર’ અને અન્ય ઘણા બધા ગુનાઓના ગંભીર સજા આપવી જોઈએ. તેમજ આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સરકાર પાસે માંગણી કરી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

કંગના રનૌતે  રાજનીતિમાં જોડાવવા અંગે નિવેદન આપ્યું

આ સિવાય કંગના રનૌતે  રાજકારણમાં આવવાની અફવાઓ અંગે  નિખાલસતાથી વાત કરી હતી. આવા દાવાઓને નકારી કાઢતા કંગના રનૌતે કહ્યું, ‘હું  રાજકારણમાં  નથી આવી રહી . હું હંમેશા દેશના કલ્યાણ માટે બોલું છું, કદાચ તેથી જ લોકો વિચારે છે કે હું રાજકારણમાં પ્રવેશ કરી શકું છું. મને રાજકારણમાં રસ નથી.”

તેણે એમ પણ કહ્યું કે તેની પાસે ઘણી બધી ફિલ્મો છે તેથી  મને  કલાકાર હોવાનો સંતોષ  છે. અભિનેત્રીએ અંતમાં કહ્યું, “મારી પાસે બેક ટુ બેક ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે અને હું એક કલાકાર તરીકે ખુશ છું.

Next Article