Paresh Rawal પોતાના લોકપ્રિય પાત્ર ‘બાબુરાવ આપ્ટે’થી મેળવવા માંગે છે છુટકારો, હેરા ફેરી 2 વિશે કહી મોટી વાત

|

Oct 28, 2021 | 10:52 PM

સોશિયલ મીડિયામાં પરેશ રાવલ (Paresh Rawal)ના આ પાત્ર પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા છે. લોકો એકબીજાને તેમના ડાયલોગના વીડિયો મોકલીને ખુશ થાય છે.

Paresh Rawal પોતાના લોકપ્રિય પાત્ર બાબુરાવ આપ્ટેથી  મેળવવા માંગે છે છુટકારો, હેરા ફેરી 2 વિશે કહી મોટી વાત
Paresh Rawal

Follow us on

પરેશ રાવલ (Paresh Rawal)નું પ્રખ્યાત પાત્ર બાબુ રાવ દરેકના પ્રિય પાત્રોમાંનું એક છે. જ્યાં એક તરફ હેરા ફેરીના ચાહકો તેના ત્રીજા ભાગના સમાચાર માટે ગૂગલ પર સર્ચ કરતા રહે છે. બીજી તરફ આ ફ્રેન્ચાઈઝીનું સૌથી મહત્ત્વનું પાત્ર ભજવતા પરેશ રાવલ હવે આ પાત્રમાંથી મુક્ત થવાની વાત કરી રહ્યા છે. બાબુરાવ આપ્ટે પરેશ રાવલના સૌથી લોકપ્રિય અને આદરણીય પાત્રોમાંથી એક છે.

 

કહ્યું- બહુ ગંદકી થઈ ગઈ હતી

પરેશ રાવલે આપેલા એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન ‘ફિર હેરા ફેરી’ દરમિયાન પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે હેરા ફેરીના બીજા ભાગમાં નિર્દોષતાનો અભાવ હતો, જે પ્રથમ ફિલ્મનો સાર હતો. આગળ વાત કરતા તેમણે કહ્યું કે સુનીલ શેટ્ટી આ ફિલ્મમાં સૌથી વધુ પ્રામાણિક વ્યક્તિ હતા અને તેથી જ તે બીજા ભાગમાં પણ અલગ દેખાતા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

જ્યારે ઈન્ટરવ્યુ લેનારે તેમને કહ્યું કે સોશિયલ મીડિયા પર આ પાત્ર પર ઘણા બધા મીમ્સ બનાવવામાં આવે છે. લોકો એકબીજાને તેમના ડાયલોગના વીડિયો મોકલીને ખુશ થાય છે તો તેમનો જવાબ હતો કે હું આ બધાથી કંટાળી ગયો છું. તે બધું હવે થાકેલું લાગે છે. ફિલ્મ વિશે વાત કરતા તેમણે કહ્યું “હેરા ફેરીમાં શું થયું, અમે ખૂબ જ ઓવર સ્માર્ટ હતા. વધારે જ હોંશિયારી બતાવતા હતા અને તે કામ ન કર્યું.

 

સુનીલ શેટ્ટીના વખાણ કર્યા હતા

આ ઈન્ટરવ્યુ દરમિયાન પરેશે, સુનીલ શેટ્ટીના કામનો ઉલ્લેખ કરતા કહ્યું, “એક વ્યક્તિ હતો જે બધાથી અલગ કામ કરતો હતો, જે ખૂબ જ પ્રમાણિક હતો, તે હતો સુનીલ શેટ્ટી. તે ક્યારેય કંઈપણ સાબિત કરવા માંગતો ન હતો, તેથી તે આ બધી બાબતોથી દૂર હતો અને અમે જુઓ, ઘણી ગંદગી થઈ ગઈ હતી. આ દરમિયાન તેમને આ પ્રખ્યાત ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જ્યારે પણ તે થાય એક તો ઈનોસેન્સની જરૂર હોય છે, તે ન હતું… તે હતું જ નહીં. ગંદુ થઈ ગયું. સાચી વાત તો એ છે કે મારે હવે એમાંથી છૂટકારો મેળવવો છે.

 

તમને જણાવી દઈએ કે હેરા ફેરી ફિલ્મમાં પરેશ રાવલની સાથે અક્ષય કુમાર (Akshay Kumar) અને સુનીલ શેટ્ટી (Sunil Shetty ) લીડ રોલમાં હતા. આ ફિલ્મ પ્રિયદર્શને ડાયરેક્ટ કરી હતી. વર્ષ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મની ગણતરી કલ્ટ ફિલ્મોની શ્રેણીમાં થાય છે. જ્યારે તેનો બીજો ભાગ ફિર હેરા ફેરીનું નિર્દેશન નીરજ વોહરાએ કર્યું હતું, જે પ્રથમ ભાગ જેટલું અસરકારક ન હતું.

 

 

આ પણ વાંચો :- Honsla Rakh: Diljit Dosanjh, શહનાઝ ગિલ અને સોનમ બાજવાની ફિલ્મની કમાલ, 11 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

 

આ પણ વાંચો :- Nia Sharmaએ શેર કરી એવી હોટ ફોટોઝ, જોઈને નજર હટાવી થઈ જશે મુશ્કેલ

Next Article