No Celebration: શાહરૂખ અને ગૌરીએ આજે નથી ઉજવી ​​લગ્નની 30મી વર્ષગાંઠ, પુત્ર આર્યન ઘરે આવે તેની છે પ્રતીક્ષા

|

Oct 25, 2021 | 11:34 PM

Shah Rukh Khan and Gauri Khan Wedding Anniversary : શાહરૂખ ખાનની ગૌરી સાથે મુલાકાત દિલ્હીમાં થઈ હતી. બંને દિલ્હીના છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ, શાહરુખ અને ગૌરીએ એકબીજા સાથે 25 ઓક્ટોબર, 1991 ના રોજ લગ્ન કર્યા હતા.

No Celebration: શાહરૂખ અને ગૌરીએ આજે નથી ઉજવી ​​લગ્નની 30મી વર્ષગાંઠ, પુત્ર આર્યન ઘરે આવે તેની છે પ્રતીક્ષા
Gauri Khan, Shah Rukh Khan

Follow us on

આજે એટલે કે 25 ઓક્ટોબરે બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan)ની 30મી લગ્નની વર્ષગાંઠ છે. જો કે આ વખતે આ બોલિવૂડ કપલ તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણી નથી કરી રહ્યું અને તેનું કારણ છે તેમનો પુત્ર આર્યન ખાન (Aryan Khan).

 

આર્યન ખાન ડ્રગ્સના કેસમાં છેલ્લા ઘણા દિવસોથી આર્થર રોડ જેલ (Arthur Road Jail)માં બંધ છે. ગૌરી અને શાહરૂખ બંને તેમના પુત્ર આર્યનને જલ્દીથી જેલમાંથી મુક્ત કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. આવતીકાલે એટલે કે 26 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

દરમિયાન, ગૌરી અને શાહરુખે સાથે મળીને નક્કી કર્યું કે જ્યાં સુધી તેમનો પુત્ર આર્યન ઘરે પરત નહીં આવે ત્યાં સુધી તેમના ઘરે મન્નતમાં કોઈ ઉજવણી નહીં થાય. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારણે શાહરૂખ અને ગૌરીએ આજે ​​તેમની 30મી વેડિંગ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી નથી. તે બંને નથી ઈચ્છતા કે તે પોતાના પુત્ર વગર કોઈ પણ સેલિબ્રેશન કરે.

 

આર્યનની ગેરહાજરીમાં કોઈ ઉજવણી થશે નહીં

અગાઉ અહેવાલ હતો કે ગૌરી ખાને તેમના ઘરના સ્ટાફને સૂચના આપી છે કે જ્યાં સુધી આર્યન ઘરે પરત નહીં ફરે, ત્યાં સુધી ઘરમાં કોઈ મીઠાઈ નહીં બનાવાય. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૌરીએ આ નિર્ણય ત્યારે લીધો જ્યારે તેમણે ઘરના રસોડામાં એક સ્ટાફને ખીર બનાવતા જોયો. ગૌરીએ તરત જ તે સ્ટાફને ખીર બનાવવાનું બંધ કરવા કહ્યું અને બધાને સૂચના આપી કે જ્યાં સુધી આર્યન પાછો નહીં આવે ત્યાં સુધી ઘરમાં કોઈ સ્વીટ ડિશ તૈયાર કરવામાં આવશે નહીં.

 

શાહરુખ ખાન અને ગૌરીની લવ સ્ટોરી

શાહરૂખ ખાનની ગૌરી સાથે મુલાકાત દિલ્હીમાં થઈ હતી. બંને દિલ્હીના છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ શાહરુખ અને ગૌરીએ એકબીજા સાથે 25 ઓક્ટોબર, 1991ના રોજ લગ્ન કર્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી શાહરૂખ અને ગૌરીએ સાથે મળીને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે.

 

શાહરૂખ ખાન ગૌરીને કેટલો પ્રેમ કરતો હતો તે કોઈથી છુપાયેલું નથી. તેમની લવ સ્ટોરીની વાર્તાઓથી સાઈટ્સ ભરેલી પડી છે. તે વાર્તાઓ માંની એક એવી છે કે ગૌરી ખાનનો ભાઈ નહોતો ઈચ્છતો કે તેની બહેન શાહરૂખ ખાન સાથે લગ્ન કરે, પરંતુ શાહરૂખ ખાન પીછેહઠ કરવા તૈયાર ન હતા.

 

એક સમય તો એવો પણ આવ્યો હતો, જ્યારે ગૌરીના ભાઈઓએ શાહરૂખ ખાન તરફ બંદૂક બતાવી હતી. નસીબ જોગે તેની બંદૂકમાંથી કોઈ ગોળી નીકળી ન હતી. શાહરૂખને ગૌરીના પરિવારને મનાવવામાં ઘણો સમય લાગ્યો, કારણ કે તે ઈન્ટરફેથ લગ્નની વિરુદ્ધ હતા. આવો દાવો ઘણી વેબસાઈટોમાં કરવામાં આવ્યો છે. ગૌરી હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી છે, જ્યારે શાહરૂખ પઠાણ છે. ઘણા પ્રયત્નો છતાં બંનેએ 25 ઓક્ટોબર, 1991ના રોજ લગ્ન કર્યા હતા અને હવે બંનેને ત્રણ બાળકો છે – આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન.

 

આ પણ વાંચો :- સુપરસ્ટાર Rajinikanthને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યાદ કરી કંડક્ટરથી એક્ટર બનવા સુધીની સફર

 

આ પણ વાંચો :- Bunty Aur Babli 2 Trailer: ડબલ હશે બંટી ઔર બબલીની ધમાલ, સિદ્ધાંત અને શાર્વરીએ કરી દીધી છે ગેમ અપ

 

Next Article