નવી દુલ્હન બનેલી Sugandha Mishra એ સાસરિયાઓ માટે બનાવી એક ખાસ વાનગી, જોવા મળ્યો મહારાષ્ટ્રીયન અવતાર

|

May 03, 2021 | 7:26 PM

સુગંધા મિશ્રા (Sugandha Mishra) અને સંકેત ભોસલે (Sanket Bhosale) 26 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

નવી દુલ્હન બનેલી Sugandha Mishra એ સાસરિયાઓ માટે બનાવી એક ખાસ વાનગી, જોવા મળ્યો મહારાષ્ટ્રીયન અવતાર
Sanket Bhosale, Sugandha Mishra

Follow us on

હાસ્ય કલાકારો સુગંધા મિશ્રા (Sugandha Mishra) અને સંકેત ભોસલે (Sanket Bhosale) 26 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. અભિનેત્રીએ સોશિયલ મીડિયા (Instagram) પર તેમના લગ્નના ઘણા શાનદાર ફોટા તેમના ચાહકો સાથે શેર કર્યા છે. આ સમયે, આ દંપતી લગ્ન પછીની રસ્મોમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેમના ઘરે સત્યનારાયણની પૂજા કરવામાં આવી હતી. જે બાદ સુગંધા મિશ્રાએ ભોસલે પરિવાર માટે મીઠાઇ બનાવી હતી.

તેમને જણાવી દઈએ કે આ રસ્મનો હિસ્સો હોય છે કે નવી કન્યાએ વરરાજા અને તેમના પરિવાર માટે કંઈક મીઠું રાંધવાનું હોય છે. સુગંધા મિશ્રા (Sugandha Mishra) અને શંકેત ભોસલેએ પૂજા દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો. સુગંધા મિશ્રાએ નૌવારી સાડી પહેરી હતી અને સાથે નથ અને ગજરો પહેર્યા હતા. તે જ સમયે, શંકેત ભોસલે કુર્તા અને પાયજામા પહેર્યા હતા. તેમના નવા ઘર વિશે વાત કરતા અને પૂજામાં ભાગ લેતી વખતે સુગંધા મિશ્રા કહે છે, ‘હું પરંપરાગત મહારાષ્ટ્રિયન પદ્ધતિઓને સમજી રહી છું અને તેને વિકસિત કરી રહી છું. હું મહારાષ્ટ્રિયન બાઇકો બનવા માટે ઉત્સાહિત છું.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

વાત કરતાં તેમણે કહ્યું, ‘આ એક પરંપરાગત પંજાબી મીઠાઈ છે, જેને અમે પૂજા દરમિયાન બનાવી છીએ. તેને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. અંતે, મેં મહારાષ્ટ્રીયન મીઠાઈ પણ તૈયાર કરી છે. ટેબલ પર પંજાબી અને મહારાષ્ટ્રિયન બંને વાનગીઓ હતી. શંકેત ભોસલેએ કહ્યું કે, ‘હું એક બિન્દાસ અને જવાબદાર પતિ બનવાની નવી ભૂમિકાનું પાલન કરી રહ્યો છું. મેં સુગંધા મિશ્રાને આ કરવાનું વચન આપ્યું છે. સુગંધા મિશ્રાએ તેમના સાસરી માટે પંજરી બનાવી હતી.

શંકેત ભોસલેએ લગ્ન વિશે વાત કરતા કહ્યું કે, ‘લગ્ન કરવા એક અદ્ભુત અને સુંદર એહસાસ છે. સૌથી ખાસ વાત એ છે કે સુગંધા મિશ્રા મારી તરફથી છે. હું અચાનક ખૂબ જ જવાબદાર મહેસુસ કરુ છું. અમે ખૂબ ખુશ છીએ. શંકેત ભોસલેએ વધુમાં કહ્યું કે, ‘આ એક જ સમયે હું આશ્ચર્યજનક અને વ્યસ્ત રહ્યો છું. મુંબઈ આવ્યા પછી અમે ઘરે ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત છીએ.

આ પણ વાંચો :- Aamir Khanએ લીધો નિર્ણય, હવે લદ્દાખમાં શુટ થશે લાલ સિંહ ચઢ્ઢાનાં એક્શન સિક્વન્સ!

આ પણ વાંચો :- ચીનથી ઓક્સિજન સિલિન્ડર્સની ડિલીવરીમાં થઈ રહ્યો હતો વિલંબ, Sonu Soodએ ઉઠાવ્યો હતો સવાલ તો મળ્યો આ જવાબ

Next Article