AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naseeruddin Shah, અધ્યાયન સુમનની ડ્રામા-એડવેન્ચર ફિલ્મ ‘રણછોડ’નું ટીઝર રિલીઝ

રણછોડને બુકેલિયા એન્ટરટેઈનમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મેજેસ્ટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા કર્જની ક્રિએશન્સ અને નસીરુદ્દીન શાહ, અધ્યાયન સુમન અને શેરનવાઝ જીજીનાના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવશે.

Naseeruddin Shah, અધ્યાયન સુમનની ડ્રામા-એડવેન્ચર ફિલ્મ 'રણછોડ'નું ટીઝર રિલીઝ
Rannchhod
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 6:39 PM
Share

નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) અને યુવા હાર્ટથ્રોબ અધ્યાયન સુમને (Adhyayan Suman) તેમની ફિલ્મ ‘રણછોડ’ (Rannchhod)નું ટીઝર રીલીઝ કર્યું છે, જે દરેકના રોગટા ઉભા કરી દે તેવું કાર્ય કરી રહ્યું છે. એડવેન્ચર-ડ્રામા ફિલ્મના ટીઝરમાં નસીરુદ્દીન શાહના ભેદી અવાજમાં ફિલ્મનો આઈકોનિક ડાયલોગ જોવા મળે છે.

અધ્યાયન સુમન અને શેરનવાઝ જીજીના અભિનીત આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. રણછોડે એક યુવાન અને પ્રતિભાશાળી વ્યક્તિની મહાન મહત્વાકાંક્ષાઓની વાર્તા છે, જે પોતાના પરિવારને દેવાથી બચાવવા માટે ભાવનાત્મક અને ઉતાર-ચઢાવની સફર શરૂ કરે છે.

ફિલ્મ વિશે બોલતા પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ કહે છે “રણછોડ એક રસપ્રદ વાર્તા છે અને જ્યારે મેં સ્ક્રિપ્ટનો પહેલો સીન વાંચ્યો ત્યારથી જ મારી ફિલ્મને લઈને દિલચસ્પી વધી ગઈ છે. ફિલ્મમાં એક પારિવારિક એંગલ સાથે રોમાંચ અને ડ્રામા પર કેન્દ્રિત વાર્તા છે, જે આને જોવા માટે તમારી જિજ્ઞાસાને વધારતી જશે. બલરાજ ઈરાની અને બુકેલિયા એન્ટરટેઈનમેન્ટ્સ સાથે કામ કરવાની અને અધ્યયન અને શેરનવાઝ જેવી યુવા અને નવી પ્રતિભાઓને એક્શનમાં જોવાની એક રસપ્રદ સફર બનશે.

હું આની શરુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. રાહુલ પણ અત્યંત ગતિશીલ છે અને પોતાનો એક અનોખો અભિગમ લઈને ચાલે છે. તેમણે જે લાગણીઓ વ્યક્ત કરી છે તે અદ્ભુત છે. આ બધું ચોક્કસપણે દર્શકોને ફિલ્મના અંત સુધી ફિલ્મ સાથે જોડાયેલ રહેવામાં મદદ કરશે.”

અધ્યયન સુમન (Adhyayan Suman) કહે છે “દરેક અભિનેતાના જીવનમાં એક એવી ફિલ્મ હોય છે જે તેની કારકિર્દી બદલી નાખે છે. રણછોડ એ જ મારા જીવનની ફિલ્મ છે. તે મારા નવોદિત દિગ્દર્શક રાહુલ દ્વારા લખાયેલી એક શાનદાર ફિલ્મ છે. નસીર સાહબ સાથે સહ અભિનેતા તરીકે કામ કરવા દરેક અભિનેતાનું સ્વપ્ન હોય છે. તેના માટે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. હું નસીર સાહેબ સાથે મારી ફિલ્મ શરૂ કરવા માટે રાહ જોઈ શકતો નથી.”

રણછોડને બુકેલિયા એન્ટરટેઈનમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મેજેસ્ટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા કર્જની ક્રિએશન્સ અને નસીરુદ્દીન શાહ, અધ્યાયન સુમન અને શેરનવાઝ જીજીનાના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવશે. બલરાજ ઈરાની અને અભિષેક બુકેલિયા દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન રાહુલ એસ. કર્જની દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે.

આ પણ વાંચો :- Dia Mirzaએ આર માધવનના પુત્ર વેદાંતને સ્વિમિંગમાં 7 મેડલ જીતવા બદલ પાઠવ્યા અભિનંદન

આ પણ વાંચો :- અભિનેતા Rajinikanthની તબિયત લથડી, ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Follow Us
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
g clip-path="url(#clip0_868_265)">