Janhit Mein Jari Movie Review: મનોરંજનની સાથે સાથે આ ફિલ્મ સામાજિક કલંકને તોડે છે, નુસરત ભરૂચા અને અનુદ સિંહે કર્યો શાનદાર અભિનય

સામાજિક સંદેશ આપતી ફિલ્મ 'જનહિત મેં જારી'ની (Janhit Mein Jari) દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં નુસરત ભરૂચાની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Janhit Mein Jari Movie Review: મનોરંજનની સાથે સાથે આ ફિલ્મ સામાજિક કલંકને તોડે છે, નુસરત ભરૂચા અને અનુદ સિંહે કર્યો શાનદાર અભિનય
Janhit Me Jaari Poster
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 8:33 PM

ફિલ્મ – જનહિત મેં જારી

કાસ્ટ – નુસરત ભરૂચા, વિજય રાજ, અનુદ સિંહ ઢાકા, બ્રિજેન્દ્ર કાલા

નિર્દેશક – જય બસંતુ સિંહ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ડાયલોગ્સ – રાજ શાંડિલ્યા

રેટિંગ – 3.5/5

Film Janhit Mein Jari Movie Review: બોલિવૂડમાં હવે સામાજિક મુદ્દાઓ પર બનેલી ફિલ્મોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ‘પેડ મેન’, ‘ટોયલેટ – એક પ્રેમ’ કથા જેવી ઘણી ફિલ્મો છે, જે સમકાલીન વિષયો પર બની છે. હવે આવી જ બીજી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જે એવા વિષય પર છે જેને આપણા સમાજમાં ટૈબુ ગણવામાં આવે છે. તેની વાત કરવામાં સંકોચ અનુભવે છે. 10 જૂને અભિનેત્રી નુસરત ભરૂચાની ફિલ્મ ‘જનહિત મેં જારી’ (Janhit Mein Jari) રીલિઝ થઈ રહી છે. નુસરતે (Nushrratt Bharucha) તેની દરેક ફિલ્મમાં સામાન્ય છોકરીનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં તે એક સામાન્ય છોકરીના રોલમાં પણ છે, પરંતુ તેનો રોલ ઘણો અસરકારક છે. આ ફિલ્મમાં નુસરત એક છોકરીના રોલમાં જોવા મળશે, જે રૂઢિચુસ્ત અને કટ્ટરપંથી સમાજ વચ્ચે નવું અને જરૂરી શિક્ષણ આપી રહી છે.

શું છે ફિલ્મ ‘જનહિત મેં જારી’ની વાર્તા?

આ ફિલ્મની વાર્તા મનોકામના ત્રિપાઠી (નુસરત ભરૂચા)ની આસપાસ ફરે છે. મનોકામના ત્રિપાઠી જીવનના એવા ચોકઠા પર ઉભી છે, જ્યાં તેણે લગ્ન અને કારકિર્દી વચ્ચે પસંદગી કરવાની છે. તે એક કંપનીમાં સેલ્સ રિપ્રેઝન્ટિવ તરીકે કામ કરે છે. ફિલ્મમાં નુસરતને મધ્યમ વર્ગના પરિવારમાંથી બતાવવામાં આવી છે. પરિવારના સભ્યો ઈચ્છે છે કે તેના લગ્ન યોગ્ય સમયે થાય, પરંતુ મનોકામનાએ તેની કારકિર્દીમાં આગળ વધવું છે. લગ્નથી બચવા માટે માત્ર મનોકામના કોન્ડોમ કંપનીમાં કામ કરવા લાગે છે. સારી નોકરી મળ્યા પછી મનોકામનાને રંજન (અનુદ સિંહ ઢાકા)ના રૂપમાં તેનો પ્રેમ મળે છે. આ પછી શું થાય છે જ્યારે મનોકામનાના સાસરિયાઓને ખબર પડી કે તે કોન્ડોમ કંપનીમાં કામ કરે છે. નુસરત કેવી રીતે લોકોમાં જાગૃતિ લાવે છે. આ ‘જનહિત મેં જારી’ વાર્તા છે. ફિલ્મમાં બ્રિજેન્દ્ર કાલા સ્થાનિક નિર્માતાની ભૂમિકામાં છે. આ પછી શું થાય છે જ્યારે નુસરતના પરિવારને આ વિશે ખબર પડે છે.

ફિલ્મની વાર્તા અને તેનું ડિરેક્શન કેવું છે?

જય બસંતુ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સામાજિક કલંકને તોડતી બતાવવામાં આવી છે. આ ફિલ્મ દર્શકોને હસાવવા ઉપરાંત એક પાઠ પણ આપશે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ફિલ્મ દ્વારા રાજ શાંડિલ્યાએ ગર્ભપાત જેવા વિષય પર ગંભીરતાથી વાત કરી છે. તમને જણાવી દઈએ કે આ વખતે રાજ શાંડિલ્યની કલમમાંથી ઘણી બધી પંચ લાઈન્સ અને વન લાઈનર બહાર આવી છે, જેને જય બસંતુ સિંહે બેસ્ટ રીતે સ્ક્રીન પર રજૂ કરી છે.

સ્ટારકાસ્ટની એક્ટિંગ કેવી છે?

તમને ફિલ્મમાં ભાગ્યે જ કોઈ એવું પાત્ર મળશે જે પોતાના પાત્રને અનુરૂપ ન હોય. નુસરત ભરૂચાએ તેનું પાત્ર શાનદાર રીતે ભજવ્યું છે. અનુદ સિંહે પણ ખૂબ જ જોરદાર એક્ટિગ કરી છે. બ્રિજેન્દ્ર કલાની ડાયલોગ ડિલિવરી સારી છે. નુસરતના સસરાના રોલમાં વિજય રાજનો અભિનય જબરદસ્ત છે. એકંદરે, દરેક પાત્ર અદ્ભુત છે. ફિલ્મ ‘જાનહિત મેં જારી’ માત્ર દર્શકોના મનોરંજન માટે જ નહીં, પરંતુ એક એવા સામાજિક મુદ્દા પર પણ બનાવવામાં આવી છે, જેના વિશે ભાગ્યે જ લોકો વાત કરે છે. ફિલ્મનો ધ્યેય સમાજને પણ આ અભિગમથી વાકેફ કરવાનો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">