Mouni Roy Wedding Reception : ટીવીની મોટી સ્ટાર મૌની રોય(Mouni Roy) થોડા જ દિવસોમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અભિનેત્રી 27 જાન્યુઆરીએ બિઝનેસમેન સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અભિનેત્રીના લગ્ન ગોવા(Goa Wedding)માં ધામધૂમથી કરવામાં આવશે. એવા સમાચાર છે કે, મૌની રોય લગ્નમાં માત્ર કેટલાક ખાસ લોકોને આમંત્રણ આપશે. ત્યારબાદ મુંબઈમાં તે પોતાના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને સ્ટાર સેલેબ્સને વેડિંગ રિસેપ્શનમાં આમંત્રિત કરશે. પરંતુ હવે અહેવાલ છે કે, મૌનીએ તેના લગ્નનું રિસેપ્શન (Mouni Roy Wedding Reception) કેન્સલ કરી દીધું છે.
બોમ્બે ટાઈમ્સના અહેવાલ મુજબ, મૌનીએ હવે આ રિસેપ્શન કેન્સલ કરી દીધું છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે ‘મૌની અને સૂરજે તેમના મિત્રો માટે લગ્ન પછી પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ કોવિડ 19ને ધ્યાનમાં રાખીને તેણે આ પાર્ટી કેન્સલ કરવી પડી હતી. મૌની ઈચ્છતી નથી કે તે કોવિડની સ્થિતિમાં કોઈપણ પ્રકારનું જોખમ લે. આવી સ્થિતિમાં, મૌનીનું તમામ ધ્યાન લગ્ન પ્રસંગ પર છે.
ન્યૂઝ18ના રિપોર્ટ અનુસાર, કોવિડના કેસમાં વધારો જોઈને અભિનેત્રી મૌનીએ ગેસ્ટ લિસ્ટમાંથી ઘણા નામ કાઢી નાખ્યા. જે લોકો પાસે RT PCR રિપોર્ટ હશે તેઓ જ લગ્નમાં પ્રવેશ કરી શકશે. સ્થળ પર દરેક મહેમાન પાસેથી આરટી પીસીઆર રિપોર્ટ પણ માંગવામાં આવશે. ત્યાર બાદ જ મહેમાનને લગ્ન સ્થળમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, મૌની રોય અને સૂરજે બંગાળી અને દક્ષિણ ભારતીય રીતરિવાજો સાથે લગ્ન પૂર્ણ કરવાની યોજના બનાવી છે. ગોવામાં રોમેન્ટિક વ્હાઇટ વેડિંગ પછી બંને સંપૂર્ણ હિંદુ વિધિ સાથે લગ્ન કરશે. મૌનીના લગ્નના રીતિ રિવાજો પહેલાથી જ શરૂ થઈ જશે. 26 જાન્યુઆરી પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની વિધિ કરવામાં આવશે. બીજી તરફ સૂરજ અને મૌની 26ના રોજ બંગાળી રીતિ-રિવાજથી લગ્ન કરશે. લગ્નમાં કુલ 27 થી 50 લોકો હાજરી આપશે, જે ખૂબ જ નજીકના હશે.
Published On - 10:00 am, Sat, 22 January 22