Love Story: Vikrant Massey જેવી સિમ્પલ છે તેમની મંગેતર શીતલ, આ રીતે થઈ હતી પ્રેમની શરૂઆત

|

Jul 22, 2021 | 6:28 PM

વિક્રાંત અને શીતલની લવ સ્ટોરી વર્ષ 2015માં શરૂ થઈ હતી. બંને સોશિયલ મીડિયા પર તેમની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખતા હતા. બંને ઓલ્ટ બાલાજીનો શો બ્રોકન બટ બ્યુટીફુલમાં પણ સાથે જોવા મળ્યા હતા.

Love Story: Vikrant Massey જેવી સિમ્પલ છે તેમની મંગેતર શીતલ, આ રીતે થઈ હતી પ્રેમની શરૂઆત
Vikrant Massey, Sheetal Thakur

Follow us on

પોતાના અભિનયથી ટીવી પછી બોલીવુડમાં દરેકનું દિલ જીતનાર વિક્રાંત મેસીના હૃદયમાં એક જ વ્યક્તિ છે, જેને તે ખૂબ જ પ્રેમ કરે છે. જેને વિક્રાંતે (Vikrant Massey) પોતાનું દિલ આપ્યું છે તે છે શીતલ ઠાકુર (Sheetal Thakur). બંને એકબીજાને જેટલો પ્રેમ કરે છે, એટલું જ તે એક બીજાને માન પણ આપે છે. વિક્રાંત અને શીતલ બંનેને તેમના અંગત જીવન વિશે વધુ વાત કરવાનું પસંદ નથી. પરંતુ ચાહકો બંને વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે, તેથી અમે તમને બંનેની ટૂંકી અને સુંદર લવ સ્ટોરી વિશે જણાવીશું.

 

ક્યારથી છે સાથે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વિક્રાંત અને શીતલની લવ સ્ટોરી વર્ષ 2015માં શરૂ થઈ હતી. બંને સોશિયલ મીડિયા પર તેમની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખતા હતા. બંને ઓલ્ટ બાલાજીનો શો બ્રોકન બટ બ્યુટીફુલમાં પણ સાથે જોવા મળ્યા હતા. આમા શિતલ વિક્રાંતની પત્નીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. શોમાં કામ કરતી વખતે, બંને રીયલ લાઈફમાં પણ એક બીજાની નજીક આવી ગયા.

 

સોશિયલ મીડિયા પર વરસાવે છે પ્રેમ

અગાઉ લાઈમલાઈટથી પોતાના સંબંધોને બચાવવાવાળા વિક્રાંત અને શીતલ હવે એક બીજા સાથે ઘણા બધા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે. જન્મદિવસ હોય કે કોઈ તહેવાર, બંને ખાસ દિવસો એક સાથે ઉજવે છે. ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી વિક્રાંત અને શીતલ વર્ષ 2019માં સગાઈ કરી લીધી હતી. સગાઈનો ફોટો બંનેએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

 

 

વિક્રાંતના સુખ-દુ:ખમાં સાથ

વિક્રાંતે થોડા સમય પહેલા જ ઘર લીધુ હતું અને તે દરમિયાન શીતલ અને પરિવાર સાથે મળીને તેમણે ગૃહપ્રવેશની પૂજા કરી હતી. આ સિવાય તે વિક્રાંતને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંનેમાં તેમને સંપૂર્ણ રીતે સપોર્ટ કરે છે. બંને એકદમ સિમ્પલ છે અને સંબંધોને પણ સિમ્પલ રાખે છે.

 

લોકડાઉન ન હોત તો કરી લીધાં હોત લગ્ન

વિક્રાંતે થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે જો લોકડાઉન ન હોત તો બંનેએ અત્યાર સુધીમાં લગ્ન કરી લીધા હોત. એક ઈન્ટરવ્યુમાં વિક્રાંતે કહ્યું હતું કે જો કોઈ લોકડાઉન ન હોત તો મારા લગ્ન થઈ ચુક્યા હોત. લોકડાઉનને કારણે હવે અમે કેટલાક વધુ મહિના રોકાયા છીએ. હવે અમે આવતા કેટલાક મહિનામાં લગ્નની યોજના બનાવીશું.

 

આ પણ વાંચો: પ્રેગ્નન્સીના સમાચાર પર સોનમ કપૂરે કઈક આ પ્રકારે આપ્યો જવાબ, ચાહકોને પણ થયું આશ્ચર્ય

Next Article