AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લલિત મોદીએ મીનલ મોદી સાથે કર્યા હતા પ્રેમલગ્ન, મીનલના નિધનથી લલિત મોદી ભાંગી પડ્યા હતા, જાણો

લલિત મોદીએ હાલમાં જ સુષ્મિતા સેનને લઈને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે, જે મુજબ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર બંનેની રોમેન્ટિક તસવીરો પણ લલિત મોદીએ પોસ્ટ કરી છે.

લલિત મોદીએ મીનલ મોદી સાથે કર્યા હતા પ્રેમલગ્ન, મીનલના નિધનથી લલિત મોદી ભાંગી પડ્યા હતા, જાણો
Minal Modi And Lalit Modi ( File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 7:00 AM
Share

આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીને (Lalit Modi) વિવાદો સાથે સંબંધ હોય તેવુ લાગી રહ્યુ છે. મની લોન્ડરિંગ કેસમાં લલિત મોદીનું નામ સામે આવતાં તેણે ભારત છોડી દીધું હતું. મની લોન્ડરિંગ કેસના કારણે લલિત મોદી નામ જેટલું ચર્ચામાં હતું એટલું જ તેમનું અંગત જીવન પણ હેડલાઇન્સમાં હતું. જો કે, આ સમયે લલિત મોદીનું અંગત જીવન વધુ ચર્ચામાં છે કારણ કે ગુરુવારે લલિત મોદીએ જાહેરાત કરી છે કે તે અને સુષ્મિતા સેન (Sushmita Sen) બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સુષ્મિતા સેન પહેલા લલિત મોદીના જીવનમાં કોણ હતું? તમને જણાવી દઈએ કે લલિત મોદી એક પરિણીત વ્યક્તિ છે. તેમને બે મોટા બાળકો પણ છે. લલિત મોદીએ મીનલ મોદી (Minal Modi) સાથે લગ્ન કર્યા હતા.

લલિત મોદીની માતા ઈચ્છતી ન હતી કે તે મીનલ સાથે લગ્ન કરે

લલિત મોદી મીનલ મોદીને ખૂબ પસંદ કરતા હતા, પરંતુ મીનલના મિત્ર લલિત મોદીની માતા બીના મોદીને તે વધારે પસંદ નહોતું. બંનેના લગ્નથી બીના મોદી ખૂબ જ નારાજ હતા. લલિત મોદી મીનલ કરતા 9 વર્ષ નાના હતા, પરંતુ ઘણા મનામણાના પ્રયાસ અને રિસામણા પછી આખરે 17 ઓક્ટોબર 1991ના રોજ લલિત અને મીનલના લગ્ન થઈ ગયા.

મીનલ પહેલેથી જ પરિણીત હતી

જો કે મીનલ પણ પરિણીત હતી. મીનલના લગ્ન જેક સાગરાની સાથે થયા હતા જેમની સાથે તેને કરીમા નામની પુત્રી હતી. મીનલ અને લલિતની પુત્રી આલિયા અને પુત્ર રૂચિર છે. મીનલ અને લલિત ઘણીવાર વેકેશન પર જોવા મળ્યા છે. જેની તસવીરો તે સમયે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હતી.

લલિત મોદી મીનલને તેમના ઘરે જ મળ્યા હતા.

જ્યારે મીનલ ગર્ભવતી હતી, ત્યારે સાગરાની એક કૌભાંડમાં ફસાઈ ગયા હતા અને ઘણા મહિનાઓ સુધી સાઉદી અરેબિયાની જેલમાં હતા. તેમની પુત્રી કરીમાનો જન્મ થયો ત્યારે પણ તેઓ મીનલને મળી શક્યા ન હતા. થોડા સમય પછી, એવા સમાચાર પણ બહાર આવ્યા કે મીનલે સાગરાની સાથે છૂટાછેડા લીધા છે, જેના પછી તે થોડા મહિનાઓ પછી દિલ્હી આવી ગઈ અને ત્યાં તેની મિત્ર બીના મોદી (લલિત મોદીની માતા) ના ઘરે રહી. ત્યાં જ મીનલ લલિતને મળી અને બંને પ્રેમમાં પડ્યા, પછી બંનેએ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, જેના કારણે લલિતની માતા ગુસ્સે થઈ ગઈ.

મીનલનું મૃત્યુ 10 ડિસેમ્બર 2018ના રોજ થયું હતું

મીનલનું 10 ડિસેમ્બર 2018ના રોજ અવસાન થયું હતું. જેની માહિતી આપતા લલિત મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘તમે મારી જિંદગી અને મારી સફર છો.’ લલિત મીનલને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમના મૃત્યુ બાદ તે ખૂબ જ ભાંગી પડ્યા હતા. તેમના મૃત્યુ બાદ તેમણે અનેક ટ્વિટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે, ‘મારો પ્રેમ, મારું જીવન, મારો આત્મા… તમે આખરે શાંતિમાં છો અને મને ખાતરી છે કે તમે અમારા પર નજર રાખશો.’

લલિત મોદી હવે સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યા છે

લલિત મોદીએ તેમની પત્ની મીનલ મોદીનું મૃત્યુ કેવી રીતે થયું તે વિશે માહિતી આપી ન હતી, પરંતુ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમણે તેમના જીવનનો મોટો ભાગ કેન્સર સામે લડવામાં વિતાવ્યો હતો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હવે લલિત મોદી બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના પ્રેમમાં પડી રહ્યા છે. ગુરુવારે, 14 જુલાઈએ, તેણે સત્તાવાર રીતે તેના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર આ વિશે માહિતી આપી.

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">